
India-Pakistan Cea ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ગઈ કાલે યુદ્ધ વિરામની સત્તાવાર જાહેરાત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સરકારે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ માટે સંમતિ આપી અને રાત્રિ સુધીમાં પાકિસ્તાને ડ્રોન હુમલો શરૂ કર્યો હતો. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અજિત ડોભાલને ફોન કરીને વાત કરી. ડોભાલે ચીનને પહેલગામ આતંકવાદી હુમલા વિશે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ NSA અજિત ડોભાલ સાથે કરી વાત
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ડોભાલે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાની જરૂર છે. યુદ્ધ ભારતની પસંદગી નથી. તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની આશા રાખશે.”
ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી
વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે છે. આતંકવાદના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. એશિયન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવી જોઈએ. ભારત અને પાકિસ્તાન એવા પડોશી દેશો છે જેમને અલગ કરી શકાતા નથી અને બંને ચીનના પડોશી છે. તેમણે કહ્યું કે ભારત યુદ્ધના પક્ષમાં નથી. આ સારી વાત છે. ચીનને આશા છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ અને સંયમ જાળવી રાખશે. ચીન વાટાઘાટો દ્વારા વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ પ્રાપ્ત કરવામાં ભારત અને પાકિસ્તાનને સમર્થન આપે છે.
Chinese Foreign Minister Wang Yi had a phone conversation with Indian National Security Advisor Doval
As per Chinese Foreign Ministry, “Doval said that the Pahalgam terrorist attack caused serious casualties among Indian personnel and that India needed to take counter-terrorism… pic.twitter.com/38ZyFkHrTN
— ANI (@ANI) May 10, 2025
ચીને પાકિસ્તાનને શું કહ્યું?
ચીનના વિદેશ કાર્યાલયના એક નિવેદન અનુસાર, ચીનના વિદેશ મંત્રીએ નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરી. વાટાઘાટો દરમિયાન, ડારે વાંગ યીને ઉભરતી પ્રાદેશિક પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી ત્યારે વાંગ યીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પાકિસ્તાનના સંયમ અને જવાબદાર વલણની પ્રશંસા કરી હતી અને તેઓએ પુષ્ટિ આપી કે ચીન, પાકિસ્તાનના સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર અને અડગ મિત્ર તરીકે તેની પાકિસ્તાન સાથે મજબૂત રીતે ઊભું રહેશે, આ ઉપરાંત, ડારે યુએઈના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે પણ વાત કરી, જેમણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધવિરામને આવકાર્યો હતો.
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF