
India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO), લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને જનરલ કાશિફ ચૌધરી આજે બપોરે 12 વાગ્યે વાતચીત કરશે. આ બેઠક 10 મેના રોજ જે યુધ્ધ થયું નથી તેના વિરામની જાહેરાત બાદ યોજાવા જઈ રહી છે. ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાની DGMOએ 10 મેના રોજ યુદ્ધ ટાળવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. થોડા કલાકો પછી, બંને પક્ષો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ આપી હતી કે ડીજીએમઓ-સ્તરની વાટાઘાટોનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે.
સેનાનું મનોબળ કોણે તોડ્યું?
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નાગરિકોની હત્યાના બદલામાં ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જોકે ત્યાર બાદ બંને તરફથી ફાયરિંગ શરું થઈ ગયું હતુ. અને ભારતીય સેના પાકિસ્તાને જડબાતોડ જવાબ આપી રહી હતી. ત્યારે ભારતનું મનોબળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખ્યું. તેમને સીધી ભારત-પાકિસ્તાનના જે થયું ન હતુ તે યુધ્ધવિરામની ઘોષણા કરી નાખી. મોદીએ ટ્રમ્પને પૂછ્યું પણ નહીં કે તમે અમારા મામલામાં કેવી રીતે પડી શકો? એકાએક પાકિસ્તાનને જવાબ આપતી ભારતીય સેનાને રોકાવી. જેથી ભારતને નીચે દેખાવાનું વારો આવ્યો છે. પીએમ મોદીને લીધે દેશનું નાક કપાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે પાકિસ્તાનમાં જીતના શશ્ન મનાવવામાં આવી રહ્યા છે.
વિદેશી મિડિયામાં પણ પાકિસ્તાનના વખાણ થઈ રહ્યા છે. કે પાકિસ્તાનને ભારત પર યુધ્ધવિરામ કરવા દબાવ નાખ્યો.
ત્યારે ગઈકાલે જ ભારતે કહ્યું હતુ કે આતંવાદ અને પીઓકે મુદ્દે ઉકેલ આવે તો જ પાકિસ્તાન સાથે વાત કરીશું. જોકે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે પાકિસ્તાન સાથે વાત કરવા બીજા દિવસે ભારતને તૈયાર થવું પડ્યું છે. આજે 12 વાગ્યે ભારત-પાકિસ્તાનના DGMO વાત કરવાના છે.
હાલ લોકો ઈંદિરા ગાંધીને યાદ કરી રહ્યા છે. કારણ કે જ્યારે 1971માં ભારત-પાકિસ્તાન સાથે યુધ્ધ થયું ત્યારે તેઓ અન્ય દેશો ડર્યા ન હતા. અને મધ્યસ્થી પણ કરવા દીધી ન હતી. જોકે આજે મોદી સરકારમાં ભારતીય સેનાનું મનોબળ તૂટ્યું છે.
આ પણ વાંચોઃ
PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire
India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ
PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?
Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?
ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor
જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire
Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?
ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor
