
Iran War: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં સર્જાયેલી ગેસ-પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ભારત ઉપર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે પીઢ રાજકીય અગ્રણી તેમજ વિશ્લેષક ડો.જયનારાયણ વ્યાસે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભારતમાં મોંઘવારી વધવાની છે જ્યારે જ્યારે ઇંધણના ભાવ વધે છે ત્યારે પરિવહન ખર્ચમાં સીધો વધારો થાય છે, જે આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો કરે છે. આનાથી સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનું સંકટ વધે છે. હાલમાં ઈન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં રૂ. ૨૨ સુધીનો વધારો પણ આ દિશામાં સંકેત આપે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોજિસ્ટિક્સ અને પરિવહન મોંઘું થાય છે,ખાદ્ય પદાર્થો અને જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર મોંઘી થવાથી સામાન્ય જનતા પર બોજ વધે છે, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં થયેલો તોતિંગ વધારો ઔદ્યોગિક ઉત્પાદનોને પણ મોંઘા બનાવી શકે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતા ભાવ વધારા માટે જવાબદાર પરિબળ છે, જેની સીધી અસર સ્થાનિક બજાર પર પડે છે. ડો.જય નારાયણ વ્યાસે કરેલી વિસ્તુત છણાવટ અત્રે વિડીયોમાં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







