
Maulana Mahmood Madani On Supreme Court:ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને તાજેતરના કેટલાક નિર્ણયો ટાંકીને આરોપ લગાવતા કહ્યું કે, ‘બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના કોર્ટના નિર્ણયથી સાબિત થઈ રહ્યું છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે.
તેઓએ કહ્યું કે ‘અદાલતોના ઘણા નિર્ણય કે જેમાં લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.’તેમણે કહ્યું કે, ‘1991ના ઉપાસના સ્થળ અધિનિયમ (Places of Worship Act) છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી થઈ તે તેનું ઉદાહરણ છે.
સુપ્રીમ કોર્ટને ત્યારે જ ‘સુપ્રીમ’ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જો આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો કોઈ અધિકાર નથી.’મદનીએ કહ્યું કે, ‘હાલના સમયમાં દેશમાં 10% લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30% તેમની વિરુદ્ધ છે, જ્યારે 60% લોકો મૌન છે.’ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તમે આ 60% મૌન લોકો સાથે વાત કરો અને પોતાની વાત તેમની સમક્ષ રાખો, કેમ કે જો આ વર્ગ મુસ્લિમોની વિરુદ્ધ થઈ ગયો તો મોટો ખતરો ઊભો થઈ શકે છે.’
મૌલાના મદનીએ જેહાદ’ અંગે વાત કરતા કહ્યું કે સરકાર અને મીડિયા દ્વારા આ પવિત્ર શબ્દને ખોટી રીતે દુનિયા સામે રજૂ કરવામાં આવી રહ્યો છે.
આ પવિત્ર શબ્દને લવ જેહાદ, થૂક જેહાદ, જમીન જેહાદ જેવા નામો આપીને બદનામ કરવામાં આવી રહ્યો છે, ખરેખરતો જેહાદ પવિત્ર શબ્દ છે જેનો અર્થ બીજાના ભલા માટે અને સારા માટેનો થાય છે અને ‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે. જ્યાં અન્યાય થશે ત્યાં જેહાદ થશે. એક ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, ત્યાં જેહાદની કોઈ ચર્ચા નથી. અહીં મુસ્લિમો બંધારણ પ્રત્યે વફાદારી દર્શાવે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે.
મહમૂદ મદનીના આ નિવેદને ભારે ચર્ચા જગાવી છે અને ભાજપે આ નિવેદનને ભડકાઉ અને દેશના ભાગલા પાડનારું ગણાવ્યું છે,જેહાદના નામે જે પ્રકારે આ લોકોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ આતંક ફેલાવ્યો છે તે બધાએ જોયું છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ વિશે કરેલી ટિપ્પણી પણ અયોગ્ય છે જેની સામે કોર્ટની અવગણના માટે કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો:






