Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: દર વર્ષે જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા ભારે વરસાદના કારણે રદ થઈ છે. કારણ કે પરિક્રમાના રુટ ધોવાઈ ગયા છે. જેથી વાહનો જઈ શકે તેવી સ્થિતિ પણ નથી. ત્યારે મધ્ય રાત્રીથી મર્યાદિત સંતોએ પરંપરા જળાઈ રહે તે માટે લીલી પરિક્રમા શરુ કરી છે. જે આજે સાંજ સુધી પૂર્ણ થશે. મધ્ય રાત્રીએ પરિક્રમાનું મુહુર્ત કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો  ઉપસ્થિતિ રહ્યા.

કારતક મહિનાની દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે શરુ થતી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. જોકે ભક્તોની આસ્થાને લઈ લીલી પરિક્રમાનું મોડી રાત્રે(1 નવેમ્બર) મુહુર્ત કરાયું છે. જેમાં મર્યાદિત સંતોએ એક દિવસીય પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી છે. જે સાંજ સુધી પૂર્ણ થશે. મૂહુર્ત દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા.

લીલી પરિક્રમા 2025 સંપૂર્ણપણે રદ કરવાનું કારણ અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. જેથી સુવિધાના વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં કોઈ ભક્તોને સારવાર અથવા અન્ય વ્યવસ્થાની જરૂરિયાત ઉભી થયા તો મુશ્કેલી થઈ શકે છે. જેને લઈ જિલ્લા કલેક્ટર અને સાધુ-સંતોએ માર્ગનું નિરીક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે

લીલી પરિક્રમાનું મહત્વ

ગીરનાર પરિક્રમા (ખાસ કરીને લીલી પરિક્રમા) ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલી પવિત્ર ગીરનાર પર્વતની આસપાસની ધાર્મિક યાત્રા છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમા હિંદુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં ભગવાન શિવ, વિષ્ણુ, જૈન તીર્થંકરો અને અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગીરનારને ‘જ્ઞાનગીરિ’ કહેવામાં આવે છે, અહીં 33 કરોડ દેવી-દેવતાઓ, 64 જોગણીઓ અને નવનાથોનું વાસસ્થાન માનવામાં આવે છે. આ યાત્રા પ્રકૃતિ, વન્યજીવો અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે, જેમાં સિંહ, હરણ જેવા પ્રાણીઓનો સામનો થઈ શકે છે.

ગીરનાર પર્વતનો આકાર ભગવાન શિવના લિંગ જેવો છે. કાર્તિક મહિનામાં (દેવઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી) કરવામાં આવતી આ પરિક્રમા પાપોના નાશ અને મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે. જૈન અને હિંદુ મંદિરો (જેમ કે નેમિનાથ જીન મંદિર, અંબિકા દેવી મંદિર)ની મુલાકાત લેવામાં આવે છે. વિવિધ જાતિ-સમુદાયના લોકો એકસાથે યાત્રા કરે છે. જો કે આ યાત્રા ભારે વરસાદના કારણે રદ કરવી પડી છે.

આ પણ વાંચો:

Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 8 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?