Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: દર વર્ષે જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા ભારે વરસાદના કારણે રદ થઈ છે. કારણ કે પરિક્રમાના રુટ ધોવાઈ ગયા છે. જેથી વાહનો જઈ શકે તેવી સ્થિતિ પણ નથી. ત્યારે મધ્ય રાત્રીથી મર્યાદિત સંતોએ પરંપરા જળાઈ રહે તે માટે લીલી પરિક્રમા શરુ કરી છે. જે આજે સાંજ સુધી પૂર્ણ થશે. મધ્ય રાત્રીએ પરિક્રમાનું મુહુર્ત કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો  ઉપસ્થિતિ રહ્યા.

કારતક મહિનાની દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે શરુ થતી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. જોકે ભક્તોની આસ્થાને લઈ લીલી પરિક્રમાનું મોડી રાત્રે(1 નવેમ્બર) મુહુર્ત કરાયું છે. જેમાં મર્યાદિત સંતોએ એક દિવસીય પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી છે. જે સાંજ સુધી પૂર્ણ થશે. મૂહુર્ત દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા.

લીલી પરિક્રમા 2025 સંપૂર્ણપણે રદ કરવાનું કારણ અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. જેથી સુવિધાના વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં કોઈ ભક્તોને સારવાર અથવા અન્ય વ્યવસ્થાની જરૂરિયાત ઉભી થયા તો મુશ્કેલી થઈ શકે છે. જેને લઈ જિલ્લા કલેક્ટર અને સાધુ-સંતોએ માર્ગનું નિરીક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે

લીલી પરિક્રમાનું મહત્વ

ગીરનાર પરિક્રમા (ખાસ કરીને લીલી પરિક્રમા) ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલી પવિત્ર ગીરનાર પર્વતની આસપાસની ધાર્મિક યાત્રા છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમા હિંદુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં ભગવાન શિવ, વિષ્ણુ, જૈન તીર્થંકરો અને અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગીરનારને ‘જ્ઞાનગીરિ’ કહેવામાં આવે છે, અહીં 33 કરોડ દેવી-દેવતાઓ, 64 જોગણીઓ અને નવનાથોનું વાસસ્થાન માનવામાં આવે છે. આ યાત્રા પ્રકૃતિ, વન્યજીવો અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે, જેમાં સિંહ, હરણ જેવા પ્રાણીઓનો સામનો થઈ શકે છે.

ગીરનાર પર્વતનો આકાર ભગવાન શિવના લિંગ જેવો છે. કાર્તિક મહિનામાં (દેવઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી) કરવામાં આવતી આ પરિક્રમા પાપોના નાશ અને મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે. જૈન અને હિંદુ મંદિરો (જેમ કે નેમિનાથ જીન મંદિર, અંબિકા દેવી મંદિર)ની મુલાકાત લેવામાં આવે છે. વિવિધ જાતિ-સમુદાયના લોકો એકસાથે યાત્રા કરે છે. જો કે આ યાત્રા ભારે વરસાદના કારણે રદ કરવી પડી છે.

આ પણ વાંચો:

Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 3 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 4 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 6 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?