
Narendra Modi in Kerala: પહેલગામ આતંકવાદી હુમલાને 12 દિવસ વીતી ગયા છે. જેમાં 26 વધુ પ્રવાસીઓના જીવ ગયા છે. ભારત તરફથી પાકિસ્તાન સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેની અસર સીધી પાકિસ્તાનના લોકોને પડી છે. પરંતુ આતંકવાદીઓને નહીં. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આતંકીઓને તેમની ભાષામાં ભારત જવાબ ક્યારે આપશે? આપણા વડાપ્રધાન બિહારમાં હુમલાના બીજા દિવસે બિહારમાં ભાષણ કર્યું. જેમાં પાકિસ્તાનને માત્ર મૌખિક ધમકીઓ આપવામાં આવી રહી છે. મન કી બાત કરી. આરએસએસ વડા મોહન ભાગતને મળી આવ્યા. બાદમાં કેરળ પહોંચ્યા. જ્યાં પણ તેમણે માત્ર ભાષણ કર્યા. કેરળમાં મોદીએ તેમના પરમ મિત્ર ગૌતમ અદાણીના બંદરનું ઉદ્ઘાટન કર્યું. જ્યા તેમણે ભાષણમાં કહ્યું કે અદાણીથી ગુજરાતના લોકો ગુસ્સે થશે. કારણ કે કેરળ જેવું બંદર અદાણીએ ગુજરાતમાં બનાવ્યું નથી. મોદી વધુમાં કહ્યું હતુ કે આ ઈવેન્ટ ઘણા લોકોની ઊંઘ ખરાબ કરી દેશે. મતલબ તેમણે આડકતરી રીતે વિપક્ષને આડે હાથ લીધો હતો.
ત્યારે સવાલ એ થાય છે કે દેશમમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તેમ છતાં મોદી વિપક્ષને ભાંડવામાંથી ઊંચા આવતાં નથી. હુમલાને ઘણા દિવસો વીતી ગયા છતાં આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. વિપક્ષો મોદીને આતંકી સાથેની લડાઈમાં સાથ આપી રહ્યા છે. ત્યારે તેઓ બસ તેમને ભાંડવામાંથી ઊંચા આવી રહ્યા નથી. મોદી સરકાર મહેલગામમાં હુમલામાં આટલી મોટી બેદરકારી બદલ જવાબદારી લેવા તૈયાર નથી. તે માત્ર ચૂક હોવાનું કહી છટકી રહી છે. સેના માત્ર છૂટ આપી છટક બારી શોધી રહી છે. તેઓ બસ ભાષણો જ કર્યા કરે છે. ત્યારે જુઓ PM મોદી વિપક્ષોને ભાંડી ભાંડીને આતંકીઓનો ખાતમો કેવી રીતે કરશે?
પણ વાંચોઃ
Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ
Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત
દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય
India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?
