ખેડા જીલ્લામાં વાવાઝોડાએ લીધો 3 લોકોનો ભોગ, 2 પર વૃક્ષો, 1 પર ઘર પડ્યું | Unseasonal rain

Unseasonal rain: હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત જીલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ ગયા છે. ક્યાય પશુઓ મોતને ભેટ્યા છે. બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે ખેડા જીલ્લામાં 50 કિમીની ઝડપે ફૂકાયેલા પવને કેટલાંક વિસ્તારોમાં તારાજી સર્જી છે. મકાન અને વૃક્ષો પડતાં ત્રણ લોકોના મોત થયા છે.

ઠાસરાના ગુમડીયા ગામે વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત થયુ છે. જ્યારે નડિયાદની આડીનાર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યકિત મોતને ભેટી છે. મહેમદાવાદના રૂદણ ગામે મકાન ધરાશાયીની ઘટના બની. કાટમાળ નીચે દબાતા 27 વર્ષીય યુવકનું મોત થયું. ભારે પવનને કારણે મૂળિયાદ ગામે આશરે 100 જેટલા મકાનના પતરા ઉડ્યા હતા. લોકોએ પોતાના ઘરમાં થયેલા નુકસાનનું સમારકામ હાથ ધર્યું છે.

નડિયાદ શહેરમાં લગાવેલા હોર્ડિગ્સ પણ પડી ગયા છે. ખેડા જીલ્લામાં ઘણા વૃક્ષો ધારાશાયી થઈ ગયા છે. કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે 17 લોકોના મોત

ગુજરાતમાં બે દિવસમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક લોકોના ઘરની છત ધરાશાયી થવાની અને વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજળી પડવાની ઘટના બની છે. જેમાં 17 લોકોના મોત થયા છે.  વીજળી પડવાથી, વૃક્ષો પડવાથી, વીજ કરંટ અને હોર્ડિંગ પડવાથી લોકોના મોત થયા છે. 

 

મહિસાગરમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર, લુણાવાડામાં વરસાદ, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

 

 

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 14 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 32 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો