Khodaldham:કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મજબૂત સામાજિક પકડ ધરાવે છે.ખોડલધામ ટ્રસ્ટ હંમેશા સક્ષમ અને સામાજિક રીતે સક્રિય વ્યક્તિઓને પ્રાધાન્ય આપે છે જેમાં જેનીબેનનો સમાવેશ કરાયો છે.મહત્વનું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી ઉમેદવાર તરીકે લડીને તેમણે પોતાની મજબૂત લોકચાહના સાબિત કરી હતી.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે પણ તેમનો વહીવટી અનુભવ ટ્રસ્ટને ઉપયોગી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ લેઉવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી જેમાં સમાજના સંગઠનને મજબુત બનાવવા અને રાજકીય મંચ ઉપર એકતા સહિત માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ સમાજમાં જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે ખરેખર સમાજની મૂળભૂત સમસ્યાઓ તરફ ખોડલધામ જાગરૂક અને સંવેદનશીલ છે ખરું ? તે અંગે નવા નિમાયેલા ખોડલધામના ટ્રસ્ટી જેનીબેન ઠુમ્મર સાથે કેટલાક તીખા સવાલ-જવાબ કરાયા છે.આ સાથેજ તેનું વિશ્લેષણ કરીને આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ.
આ વિડીયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરુરથી મોકલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જોઈન કરીને આર્થિક સહયોગ જરૂર આપશો એવી આપ સૌને વિનંતી છે.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









