
Kirill Terashin: હાલ લોકોમાં પોતાના લુકને આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવવાની સાથે અવનવા અખતરા કરતા હોય છે ત્યારે આવા અખતરા તેમના માટે ઘણી વખત ખતરનાક સાબિત થતા હોય છે. ત્યારે આવું જ કંઈક બન્યું છે. રશિયાનો કિરિલ તેરાશિન નામના 28 વર્ષીય સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે. તેને પોતાના બાવડાં બનાવવા માટે મસલ્સમાં તેલ ભર્યું હતું પરંતુ હવે પરિસ્થિતિ એવી બની છે કે, તેને હવે બાવડાં કપાવવાની સર્જરી કરાવવી પડશે.
સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરને અખતરો ભારે પડ્યો
રશિયાનો 28 વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર કિરિલ તેરાશિન પોતાના જ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયો છે. બૉડી બિલ્ડિંગનો શોખિન એવો કિરિલ જિમમાં પરસેવો પાડવા કે પ્રોટીન ડાયટ લેવાને બદલે ઝડપી રસ્તો અપનાવી બેઠો. કોઈએ તેને બાવડાં ફુલાવવા માટે તેલ ઇન્જેક્ટ કરવાની સલાહ આપી, અને બસ, આ આઈડિયા તેના માટે મુસિબત બન્યો!
ફૂલેલાં બાવડાંનું પ્રદર્શન કરીને લાખો ફૉલોઅર્સ મેળવ્યા
શરૂઆતમાં કિરિલે 5થી 10 મિલીલીટર તેલ બાવડાંમાં નાખવાનું ચાલુ કર્યું. પરિણામ તો ચોંકાવનારું હતું! રાતોરાત તેના બાવડાં ફૂલેલા દેખાવા લાગ્યા, અને ઇન્સ્ટાગ્રામ પર તેની રીલ્સ વાયરલ થવા લાગી. આ કૃત્રિમ મસલ્સે તેને લાખો ફૉલોઅર્સ અપાવ્યા, પણ આ લત તેને લઈ ડૂબી. તે વધુ ને વધુ તેલ ભરતો ગયો, અને બાવડાં અસ્વાભાવિક રીતે ફૂલતા ગયા.
ડોક્ટરોની સલાહ ન માનવાનું આવ્યું પરિણામ
એટલું જ નહીં ડૉક્ટરોએ તેને આ ખતરનાક પ્રયોગ બંધ કરવાની ચેતવણી આપી, પણ કિરિલ ન માન્યો. આખરે, થોડા દિવસો પહેલાં તેના બાવડાં ફાટવા લાગ્યા, અને તેમાંથી તેલ બહાર નીકળવા માંડ્યું. દર્દથી તડપતો કિરિલ ઇમર્જન્સીમાં હૉસ્પિટલ પહોંચ્યો હતો અને પાંચ દિવસ પહેલાં તેણે સોશિયલ મીડિયા પર પોતાના પાટા બાંધેલા બાવડાંનો ફોટો શેર કર્યો, જેની પાછળ હૉસ્પિટલનું દૃશ્ય અને દવાઓનો ઢગલો જોવા મળે છે. હવે તેને બાવડાં દૂર કરવા માટે સર્જરી કરાવવી પડી રહી છે.
કિરિલે શું કહ્યું ?
કિરિલે પોતે લખ્યું, “શૉર્ટકટે મને આ દિવસ બતાવ્યો. હવે સર્જરી જ એકમાત્ર રસ્તો છે.” આ ઘટના એ બતાવે છે કે સોશિયલ મીડિયાની ચમક-દમક પાછળ શૉર્ટકટ અપનાવવાના અખતરા કેટલા ભયંકર હોઈ શકે છે.
આ પણ વાંચો:
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ
11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education