
Pakistan violates ceasefire on LOC: પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જીલ્લામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જેનો ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલના રોજ કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીને કારણે એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેના તરફથી LOC પારથી ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પછી ભારતે જવાબી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
પાકિસ્તાની સેનાએ યુધ્ધ વિરામનુ ઉલ્લઘન કર્યું
જમ્મુના ડિફેન્સ પીઆરઓ અનુસાર, 1 એપ્રિલના રોજ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા(Loc) પાર કરીને ઘૂસણખોરી કરી હતી. આ કારણે કૃષ્ણા ખીણ સેક્ટરમાં ખાણ વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ વિના ગોળીબાર કર્યો હતો અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતુ. આપણા સૈનિકોએ નિયંત્રિત અને સંતુલિત રીતે તેમના નાપાક ઇરાદાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા
આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?
આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda
આ પણ વાંચોઃ Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!