Anna Hazare: અન્ના હજારેએ ભૂખ હડતાળનું કર્યું એલાન,સમય અને સ્થળ નક્કી,સરકારની ઉડી ઊંઘ!

  • India
  • December 12, 2025
  • 0 Comments

Anna Hazare: મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગણી સાથે અન્ના હજારે ભૂખ હડતાળ શરૂ કરશે.તેમણે કહ્યું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો નહીં ઘડવામાં આવે તો તેમને જીવવાની કોઈ ઈચ્છા નથી.સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ આગામી તા. 30 જાન્યુઆરી, 2026થી ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવાની માંગ સાથે તેઓ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરવાનું એલાન કર્યુ છે.એક ખાનગી ચેનલના અહેવાલ અનુસાર અન્નાહજારેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરવાની વાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે 28 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભામાં અને 15 ડિસેમ્બર, 2023 ના રોજ વિધાનસભા પરિષદમાં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું. પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી, જેના કારણે અણ્ણાએ હવે ઉપવાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

●સરકાર સાથે ઘણી બેઠકો થઈ પણ પરિણામ મળ્યું નથી-અન્ના

અન્ના હજારેએ કહ્યું, “આ દેશ કાયદાના આધારે ચાલે છે. લોકસભા અને વિધાનસભાનું મુખ્ય કાર્ય કાયદો બનાવવાનું છે. મેં અત્યાર સુધીમાં 10 કાયદા પસાર કરાવ્યાં છે,રાજ્યમાં એક મજબૂત લોકાયુક્ત કાયદો જરૂરી છે,આ અંગે અમારી પાસે ઘણી બેઠકો થઈ છે,સરકારે ખાતરી આપી છે, પરંતુ લોકાયુક્ત કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.તેથી, હું હવે આ નિષ્કર્ષ પર આવ્યો છું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહી આવે,તો હવે મને જીવવાની કોઈ ઇચ્છા નથી.”

●જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું સમાજના કલ્યાણ માટે કામ કરીશ-અન્ના

અન્ના હજારેએ વધુમાં કહ્યું, “મારું આખું જીવન દેશના કલ્યાણ માટે છે,મારી પાસે એક પલંગ અને ભોજનની થાળી સિવાય બીજું કંઈ નથી,મારી પાસે મારા માટે કંઈ નથી,પરંતુ સમાજના કલ્યાણ માટે હું જીવું છું,જ્યાં સુધી મારી પાસે જીવ છે ત્યાં સુધી હું તેના માટે કામ કરીશ. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે,તેમના આદર્શો આપણી સામે છે,હું પણ ત્યાં જ મૃત્યુ પામીશ. જ્યાં સુધી આનો અમલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ના હજારેએ 2011 માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક ઐતિહાસિક આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે જનલોકપાલ બિલની માંગણીએ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું તેમના નેતૃત્વમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને “અન્ના જાગો” ના નારા આંદોલનનું પ્રતીક બની ગયા હતા.દિલ્હીના રામલીલા મેદાનમાં અન્નાનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો અને દેશ વિદેશમાં અન્ના જાણીતા બન્યા હતા.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”