Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો

  • India
  • February 10, 2026
  • 0 Comments

Mahashivratri : મહાશિવરાત્રી ૨૦૨૬નું પર્વ તા. ૧૫ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વખતે ભદ્રાનો અશુભ યોગ આ દિવસે બની રહ્યો હોય ભક્તોમાં જલાભિષેક અને પૂજાના સમય વિશે મુંઝવણ ઉભી થઈ છે. તો,ચાલો જાણીએ કે આ દિવસે ભદ્રાનો સાચો સમયગાળો શું છે, તેની શુ અસર પડે, તેમજ શિવલિંગ પર જળ ચઢાવવાનું શુભ સમય શુ છે.

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વ આવે છે. આ વર્ષે, મહાશિવરાત્રીના દિવસે ભદ્ર યોગ બની રહ્યો છે.પંચાંગ મુજબ, ભદ્રા 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 5:23 વાગ્યે સમાપ્ત થશે. આનો અર્થ એ છે કે ભદ્રા લગભગ 12 કલાક અને 19 મિનિટ સુધી ચાલશે. જોકે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યોતિષીઓના મતે, આ વખતે ભદ્રાનો વાસ પાતાળમાં છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે ભદ્રાનો વાસ પાતાળમાં હોય ત્યારે તેની પૃથ્વી ઉપર કોઈ અસર રહેતી નથી.તેથી, મહાશિવરાત્રી પર, ભક્તો કોઈપણ ખચકાટ વિના ભગવાન શિવનો અભિષેક અને પૂજા કરી શકે છે. ભક્તિ અને સાચા હૃદયથી કરવામાં આવતી પૂજા શ્રેષ્ઠ પરિણામો આપે છે.આ મહાશિવરાત્રીમાં, ભગવાન શિવના જલાભિષેક માટે દિવસભરમાં શુભ મુહૂર્તની વાત કરવામાં આવેતો પહેલુ મુહૂર્ત સવારે 8:24 વાગ્યે શરૂ થશે અને 9:48 વાગ્યા સુધી ચાલશે. બીજુ મુહૂર્ત સવારે 9:48 થી 11:11 વાગ્યા સુધી રહેશે.

ત્રીજુ મુહૂર્ત અમૃત સર્વોત્તમ મુહૂર્ત હશે, જે સવારે 11:11 થી 12:35 વાગ્યા સુધી રહેશે, જે દરમિયાન જળ અર્પણ કરવું અત્યંત ફળદાયી રહેશે. જે ભક્તો સાંજે પૂજા કરવા માંગતા હોય તેઓ સાંજે 6:11 થી 7:47 વાગ્યા સુધી અભિષેક કરી શકે છે. આ મુહૂર્ત દરમિયાન ભક્તિ અને સાચા હૃદયથી શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે.

મહાશિવરાત્રી પર, સવારે સ્નાન કરીને સૌપ્રથમ સ્વચ્છ, હળવા રંગના કપડાં પહેરો. પછી, ભગવાન શિવનું મનમાં સ્મરણ કરો અને તમારા પૂજા સ્થાન પર દીવો પ્રગટાવતા “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો.પૂજા કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખો ત્યારબાદ તાંબા અથવા માટીના વાસણમાં સ્વચ્છ જળ ભરો.જેમાં ગંગાજળ, થોડું કાચું દૂધ અથવા મધ ઉમેરી શકો છો. ધીમે ધીમે શિવલિંગ પર જળ અર્પણ કરો.

પાણી સીધું શિવલિંગ પર પડે અને બીજે ક્યાંય ફેલાય નહીં તેનું ધ્યાન રાખો, પાણી અર્પણ કર્યા પછી, બીલીપત્ર (ત્રણ પાંદડાવાળા પાન), ધતુરા, સફેદ ફૂલો અથવા આકના ફૂલો અર્પણ કરો.ચંદનનું તિલક લગાવો અને ધૂપ અને દીવા અર્પણ કરો. પૂજા દરમિયાન ઓછામાં ઓછા 108 વખત “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો. જો શક્ય હોય તો તમે શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ પણ કરી શકો છો. પૂજાના અંતે, હાથ જોડીને, શાંત મનથી તમારી ઇચ્છા વ્યક્ત કરો.ભગવાન શિવની સાચી શ્રદ્ધાથી પૂજા કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Farooq Abdullah: RSS નેતા દત્તાત્રેય હોસબોલેના પાકિસ્તાન સાથે સંવાદના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો કટાક્ષ, કહ્યું- મને તો આતંકી કહેવામાં આવ્યો હતો
  • May 15, 2026

Farooq Abdullah: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હોસબોલેએ જણાવ્યું હતું કે, ભારત…

Continue reading
Congress On PM Modi: પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં મોટો વધારો, કોંગ્રેસે મોદી સરકારને ‘મોંઘવારી મેન’ કહી ઘેરી
  • May 15, 2026

Congress On PM Modi: દેશની સામાન્ય જનતા પર આજે મોંઘવારીનો વધુ એક મોટો બોજ લાદવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કિંમતોમાં ધરખમ વધારો જાહેર કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

  • May 15, 2026
  • 3 views
Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

Farooq Abdullah: RSS નેતા દત્તાત્રેય હોસબોલેના પાકિસ્તાન સાથે સંવાદના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો કટાક્ષ, કહ્યું- મને તો આતંકી કહેવામાં આવ્યો હતો

  • May 15, 2026
  • 3 views
Farooq Abdullah: RSS નેતા દત્તાત્રેય હોસબોલેના પાકિસ્તાન સાથે સંવાદના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો કટાક્ષ, કહ્યું- મને તો આતંકી કહેવામાં આવ્યો હતો

Congress On PM Modi: પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં મોટો વધારો, કોંગ્રેસે મોદી સરકારને ‘મોંઘવારી મેન’ કહી ઘેરી

  • May 15, 2026
  • 7 views
Congress On PM Modi: પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં મોટો વધારો, કોંગ્રેસે મોદી સરકારને ‘મોંઘવારી મેન’ કહી ઘેરી

Rahul Gandhi: ટ્રેડ ડીલ કે અદાણીની આઝાદીનો સોદો? રાહુલ ગાંધીના પીએમ મોદી પર સનસનીખેજ આરોપ!

  • May 15, 2026
  • 11 views
Rahul Gandhi: ટ્રેડ ડીલ કે અદાણીની આઝાદીનો સોદો? રાહુલ ગાંધીના પીએમ મોદી પર સનસનીખેજ આરોપ!

KG Basin petrol price controversy: તેલના કુવાનું 10 લાખ કરોડનું પેટ્રોલ ગુમ, પેટ્રોલ બચાવવાની સલાહ પણ મોદીના જંગી ખર્ચા

  • May 15, 2026
  • 10 views
KG Basin petrol price controversy: તેલના કુવાનું 10 લાખ કરોડનું પેટ્રોલ ગુમ, પેટ્રોલ બચાવવાની સલાહ પણ મોદીના જંગી ખર્ચા

Rahul gandhi foreign visits controversy: વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા, કોંગ્રેસે કહ્યું- અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

  • May 14, 2026
  • 5 views
Rahul gandhi foreign visits controversy: વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા, કોંગ્રેસે કહ્યું- અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ