Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો

  • India
  • February 10, 2026
  • 0 Comments

Mahashivratri : મહાશિવરાત્રી ૨૦૨૬નું પર્વ તા. ૧૫ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વખતે ભદ્રાનો અશુભ યોગ આ દિવસે બની રહ્યો હોય ભક્તોમાં જલાભિષેક અને પૂજાના સમય વિશે મુંઝવણ ઉભી થઈ છે. તો,ચાલો જાણીએ કે આ દિવસે ભદ્રાનો સાચો સમયગાળો શું છે, તેની શુ અસર પડે, તેમજ શિવલિંગ પર જળ ચઢાવવાનું શુભ સમય શુ છે.

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વ આવે છે. આ વર્ષે, મહાશિવરાત્રીના દિવસે ભદ્ર યોગ બની રહ્યો છે.પંચાંગ મુજબ, ભદ્રા 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 5:23 વાગ્યે સમાપ્ત થશે. આનો અર્થ એ છે કે ભદ્રા લગભગ 12 કલાક અને 19 મિનિટ સુધી ચાલશે. જોકે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યોતિષીઓના મતે, આ વખતે ભદ્રાનો વાસ પાતાળમાં છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે ભદ્રાનો વાસ પાતાળમાં હોય ત્યારે તેની પૃથ્વી ઉપર કોઈ અસર રહેતી નથી.તેથી, મહાશિવરાત્રી પર, ભક્તો કોઈપણ ખચકાટ વિના ભગવાન શિવનો અભિષેક અને પૂજા કરી શકે છે. ભક્તિ અને સાચા હૃદયથી કરવામાં આવતી પૂજા શ્રેષ્ઠ પરિણામો આપે છે.આ મહાશિવરાત્રીમાં, ભગવાન શિવના જલાભિષેક માટે દિવસભરમાં શુભ મુહૂર્તની વાત કરવામાં આવેતો પહેલુ મુહૂર્ત સવારે 8:24 વાગ્યે શરૂ થશે અને 9:48 વાગ્યા સુધી ચાલશે. બીજુ મુહૂર્ત સવારે 9:48 થી 11:11 વાગ્યા સુધી રહેશે.

ત્રીજુ મુહૂર્ત અમૃત સર્વોત્તમ મુહૂર્ત હશે, જે સવારે 11:11 થી 12:35 વાગ્યા સુધી રહેશે, જે દરમિયાન જળ અર્પણ કરવું અત્યંત ફળદાયી રહેશે. જે ભક્તો સાંજે પૂજા કરવા માંગતા હોય તેઓ સાંજે 6:11 થી 7:47 વાગ્યા સુધી અભિષેક કરી શકે છે. આ મુહૂર્ત દરમિયાન ભક્તિ અને સાચા હૃદયથી શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે.

મહાશિવરાત્રી પર, સવારે સ્નાન કરીને સૌપ્રથમ સ્વચ્છ, હળવા રંગના કપડાં પહેરો. પછી, ભગવાન શિવનું મનમાં સ્મરણ કરો અને તમારા પૂજા સ્થાન પર દીવો પ્રગટાવતા “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો.પૂજા કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખો ત્યારબાદ તાંબા અથવા માટીના વાસણમાં સ્વચ્છ જળ ભરો.જેમાં ગંગાજળ, થોડું કાચું દૂધ અથવા મધ ઉમેરી શકો છો. ધીમે ધીમે શિવલિંગ પર જળ અર્પણ કરો.

પાણી સીધું શિવલિંગ પર પડે અને બીજે ક્યાંય ફેલાય નહીં તેનું ધ્યાન રાખો, પાણી અર્પણ કર્યા પછી, બીલીપત્ર (ત્રણ પાંદડાવાળા પાન), ધતુરા, સફેદ ફૂલો અથવા આકના ફૂલો અર્પણ કરો.ચંદનનું તિલક લગાવો અને ધૂપ અને દીવા અર્પણ કરો. પૂજા દરમિયાન ઓછામાં ઓછા 108 વખત “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો. જો શક્ય હોય તો તમે શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ પણ કરી શકો છો. પૂજાના અંતે, હાથ જોડીને, શાંત મનથી તમારી ઇચ્છા વ્યક્ત કરો.ભગવાન શિવની સાચી શ્રદ્ધાથી પૂજા કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!
  • March 12, 2026

Rahul Gandhi: આજે લોકસભામાં દેશમાં સર્જાયેલી LPG ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ઉછાળી વિપક્ષના સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો, સત્ર શરૂ થાય તે અગાઉ જ વિપક્ષી સાંસદો પોતાના હાથમાં પોસ્ટરો અને…

Continue reading
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!
  • March 10, 2026

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા શરૂ કર્યા બાદ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થતા હવે તેની અસરો ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 6 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 7 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

  • March 13, 2026
  • 9 views
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 5 views
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • March 13, 2026
  • 15 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!