Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • India
  • February 14, 2026
  • 0 Comments

Yogi Adityanath: ભાજપ હંમેશા હિન્દુત્વનો ઝંડો લઈ આગળ આવ્યું છે અને સાધુ, સંત ,ગાય ,ભગવા આ બધું ઓળખ બનું ગયું હતું પણ પ્રયાગરાજમાં શંકરાચાર્ય વાળો મુદ્દો જ્યારથી ઉઠ્યો ત્યારથી અને કતલખાના વાળું પ્રકરણ સામે આવ્યું ત્યારથી લાગે છે કે હિંદુત્વની હવા ધીરેધીરે ફુગ્ગામાંથી બહાર નીકળી રહી છે.

યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે કહ્યું હતું કે, બધાજ વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય વાતાવરણ ખરાબ ન કરી શકે. તેઓએ તેમની મર્યાદામાં રહેવું પડે અને કાયદાનું પાલન કરવું પડે.

જો તેઓ શંકરાચાર્ય હોત તો બધાજ નિયમોનું પાલન કર્યું હોત પણ તેનાથી વિપરીત શુ થયું? વારાણસીમાં લાઠીચાર્જ સુધી સ્થિતિ કેમ પહોંચી અને FIR કેમ થઈ ? નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ તેમ યોગીએ કહ્યું હતું.

મુખ્યમંત્રી યાગીએ કહ્યું કે, પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’
સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાલુઓની સુરક્ષા કરવાની છે.’

જે ગેટ માત્ર ભક્તોને બહાર નીકળવા માટે બનાવ્યો છે તેવા એક્ઝિટ ગેટથી તેઓ એન્ટ્રી કરવાના હતા તેનાથી નાસભાગ થવાની આશંકા હતી અને શ્રદ્ધાળુઓ માટે મોટું જોખમ હતું ત્યારે એક જવાબદાર વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે, યોગી અદિત્યનાથે કહ્યું કે ‘જો સમાજવાદી પાર્ટીના લોકો તેઓને પૂજવા ઈચ્છે છે તો ભલે પૂજે, પરંતુ સરકાર કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે.’

યોગીના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વળતા પ્રહારમાં મુખ્યમંત્રીને નકલી યોગી ગણાવી કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સૌથી વધુ સાંપ્રદાયિક, અલોકતાંત્રિક અને અસંસ્કારી છે. સરકાર કાનપુરને બદનામ કરવા માટે બુલડોઝરથી લોકોને ડરાવતી રહે છે. તેઓ શંકરાચાર્ય અને ત્રિવેણી વિવાદનું સત્ય છુપાવવનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે અને મેક ઈન ઈન્ડિયાની વાતો પોકળ સાબિત થઈ રહી છે.’

આમ,હિન્દુત્વ અને સંતો માટે મોટી મોટી વાતો કરનારા ભાજપ માટે હવે આ પ્રકરણ તેઓની ઈજ્જતની જાહેરમાં ‘વાટ’ લગાવી રહ્યું છે.
એમાંય વળી વિધાનસભામાં યોગી અદિત્યનાથે ભગવા કપડામાં જ બીજા સનાતની ભગવાની આલોચના કરતા સ્નાતનીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે કે સનાતનીઓમાં પણ હવે શુ રાજકારણ ઘુસી ગયુ છે?

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!
  • May 30, 2026

Delhi Gymkhana Club: દિલ્હીના પ્રભાવશાળી અને વીઆઈપી સેન્ટ્રલ વિસ્તારમાં ૨૭ એકરની કિંમતી જમીન પર ફેલાયેલી ૧૧૩ વર્ષ જૂની દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરાવવાની નરેન્દ્ર મોદી સરકારની અચાનક આવેલી નોટિસ પાછળ…

Continue reading
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ
  • May 30, 2026

Kuno Cheetah Tranquilization Report: કેન્દ્ર સરકાર જે ‘પ્રોજેક્ટ ચીતા’ ને વૈશ્વિક સ્તરે પોતાની સિંહ ફાળ અને પ્રજાતિ પુનર્જીવનની સૌથી મોટી સફળતા તરીકે પ્રમોટ કરીને પીઆર (PR) સ્ટંટ કરી રહી છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 4 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 6 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

  • May 30, 2026
  • 6 views
India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • May 30, 2026
  • 7 views
Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!