
ત્યારે મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપમાં ઉહાપોહ છે. કારણે મોટી પાર્ટીમાં સૌ કોઈ જોડતાં હોય છે. ભાજપ, આપ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડવવા તરસતાં હોય છે. ત્યારે આ રીતે કોઈ આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા ભાજપમાંથી રાજીનામુ આપે ત્યારે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે.
ભાજપ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન આપતી નથી
મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું તેની પાછળના કારણો વિશે તેમણે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું મુખ્ય કારણ હતું કે ભાજપ બંધારણનું પાલન નથી કરતી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે પક્ષને અનેક પત્રો લખીને આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે રાજીનામું આપી દીધુ છે.
ઉપરાંત રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી મહેશ વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી નેતા ગણાય છે, અને તેમનું રાજીનામું આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતદારોની ગતિશીલતા પર અસર કરી શકે છે. તેમનો નિર્ણય આદિવાસી સમુદાયના હિતો અને પક્ષની અંદરની રાજકીય ગણતરીઓ સાથે જોડાયેલો હોઈ શકે, જેમાં તેમને લાગ્યું હશે કે તેમના રાજકીય લક્ષ્યો ભાજપમાં સધાય તેમ નથી.
જોકે આ રાજીનામાની પાછળનું ‘ગણિત’ એટલે કે ચોક્કસ રાજકીય ગણતરીઓ કે આંતરિક વિવાદોની વધુ ઊંડી વિગતો જાહેર થઈ નથી. તેમના આગળના પગલાં, જેમ કે નવા પક્ષમાં જોડાવું કે સ્વતંત્ર રાજકીય પ્રવૃત્તિ, તેની સ્પષ્ટતા આપી શકે છે.
મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા
મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ તેમણે ઉતાવળુ પગલું ભરી લીધુ છે. આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’
આ પણ વાંચો:
Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો
Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત
Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!
PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?
