
Mahisagar : દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાતાં ગુજરાતમાં આ છે વિકાસ? આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી કંટાળી રહ્યા છે. મહિસાગર જીલ્લામાં નદી પર પુલ ન હોવાના કારણે એક જાનને નાવડીમાં લઈ જવામાં આવી હતી. જેને એક વીડિયો વાઈરલ થયો છે. જે ગઈકાલનો હોવાનું કહેવાઈ છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ડીટવાસ ગામના વરરાજા અને જાનૈયાઓએ રાઠડા બેટ પર પરણવા જવા માટે નાવડી બેસીને જવાનો વારો આવ્યો હતો. કન્યાને પરણી પણ આ જ જળમાર્ગે પાછી લાવવામાં આવે છે.
કડાણા ડેમની મધ્યમાં આવેલા રાઠડા બેટમાં પુલ ન હોવાના અભાવે નાવડીના સહારે જવું પડે છે. આ ગામમાં લગભગ 700 લોકો રહે છે. જે માત્ર નાવડીનો ઉપયોગ આવજાવ માટે કરે છે.
સ્થાનિકોએ વારંવાર પુલની માગણી કરી છે. તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે. જેની યાતનાઓનો લોકો ભોગ બની રહ્યા છે. જાણવા મળી રહ્યું છે ક ભણતાં બાળકો પણ આ નાવડીઓનો ઉપયોગ કરે છે.
અહીંના લોકો કહે છે 108ની સુવિધા પણ મળતી નથી. જો કઈ ગંભીર બિમાર પડે તો તેને બે પુરુષના ખભે લઈ જવા પડે છે. અહીંના લોકો ફોર વ્હિલર કે ટુ વ્હિલર વસાવાના બદલે બોટ વસાવે છે. કારણ કે ત્યા રસ્તાઓનો પણ અભાવ છે. ત્યારે ગુજરાત સરકાર આ વિસ્તાર સામે કેમ આંખો મીચી રહી છે તેવા સવાલ ઉભા થયા છે. અહીંના ધારાસભ્ય શું કરે છે? જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્ક્સથી આ વિસ્તારના લોકોને ન્યાય મળી શકે છે.
આ પણ વાંચોઃ
Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ
Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’
Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી
CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!
ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war
