કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “#ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

  • India
  • February 21, 2025
  • 0 Comments
  • કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

સોશિયલ મીડિયામાં મોદી જૂઠ્ઠા હૈનો હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તો ગઈકાલે ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. આમ વર્તમાન સમયમાં પીએમ મોદીના વિરૂદ્ધમાં અલગ-અલગ ટ્રેન્ડ ચલાવામાં આવી રહ્યાં છે. ગઈકાલે દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધીના નિવેદન પછી ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. તો આજે પીએમ મોદીએ દિલ્હી વિધાનસભામાં દિલ્હીની મહિલાઓને આપેલા વચનને નિભાવી ન શક્યા હોવાના કારણે મોદી જૂઠ્ઠા હૈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ દરમિયાન પીએમ મોદીના અનેક ભાષણો પણ શેર કરવામાં આવી રહ્યાં છે, જેમાં પીએમ મોદી જણાવી રહ્યાં છે કે, દિલ્હીમાં અમારી સરકાર આવશે તો પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજનાને પાસ કરી દેવામાં આવશે. પરંતુ અંતે પીએમ મોદી ખોટા સાબિત થયા છે.

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ નવી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું છે. તેમણે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની યોજનાનો ઉલ્લેખ કરતી વખતે આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં દર મહિને 2500 રૂપિયાની યોજનાને પાસ કરવામાં આવશે. આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. પહેલી કેબિનેટ બેઠક સાંજે સાત વાગ્યે મળી. દિલ્હીની બધી સ્ત્રીઓ રાહ જોઈ રહી હતી.


આ પણ વાંચો-Glass Gem Corn: શું તમે ઇન્દ્રધનુષના રંગવાળી મકાઈ વિશે જાણો છો?

આતિશીએ કહ્યું, “દિલ્હીની મહિલાઓ કેબિનેટ બેઠક પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પ્રેસ કોન્ફરન્સ કરે અને જાહેરાત કરે કે ભાજપ 2500 રૂપિયાનું વચન પૂરું કરશે, તેની રાહ જોઈ રહી હતી. પરંતુ મને દુઃખ છે કે દિલ્હીની ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું. તેમણે દિલ્હીના લોકોને છેતરવાનું શરૂ કર્યું.”

પહેલી કેબિનેટ બેઠકમાં યોજના કેમ પાસ ન થઈ – આતિશી

વીડિયો રિલીઝ કરતા આતિશીએ આગળ કહ્યું, “હું રેખા ગુપ્તા જીને પૂછવા માંગુ છું કે આજ સવાર સુધી તમે કહ્યું હતું કે 2500 રૂપિયાની યોજના પહેલી કેબિનેટ બેઠકમાં પસાર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મંચ પરથી વારંવાર કહ્યું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે દરેક મંચ પરથી કહ્યું હતું. તો પછી પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના કેમ પસાર ન થઈ?”

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં સરકારે બે જાહેરાતો કરી હતી. દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ કરવામાં આવશે. વિધાનસભાના પહેલા સત્રમાં CAG 14 રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.” આ બેઠક પછી મુખ્યમંત્રીએ કહ્યું કે પાછલી આમ આદમી પાર્ટીની સરકારે શહેરમાં આરોગ્ય યોજના લાગુ કરવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે લોકો તેનો લાભ મેળવી શક્યા ન હતા.

આ પણ વાંચો- BHARUCH: ભરુચમાં એક શખ્સે આદિવાસી મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતાં રોષ, મહેશ વસાવાએ શું કહ્યું?

Related Posts

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો
  • August 14, 2026

Yashwant Varma Case: અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે થયેલા ગંભીર આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો અહેવાલ બુધવારે, 12 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું…

Continue reading
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી
  • August 14, 2026

NCERT-CBSE Vacancy Report: દેશમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. ‘દેશમાં સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સંબંધિત બજેટ અને નીતિગત પાસાઓ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 4 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 8 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 9 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 6 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 12 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી