કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “#ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

  • India
  • February 21, 2025
  • 0 Comments
  • કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

સોશિયલ મીડિયામાં મોદી જૂઠ્ઠા હૈનો હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તો ગઈકાલે ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. આમ વર્તમાન સમયમાં પીએમ મોદીના વિરૂદ્ધમાં અલગ-અલગ ટ્રેન્ડ ચલાવામાં આવી રહ્યાં છે. ગઈકાલે દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધીના નિવેદન પછી ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. તો આજે પીએમ મોદીએ દિલ્હી વિધાનસભામાં દિલ્હીની મહિલાઓને આપેલા વચનને નિભાવી ન શક્યા હોવાના કારણે મોદી જૂઠ્ઠા હૈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ દરમિયાન પીએમ મોદીના અનેક ભાષણો પણ શેર કરવામાં આવી રહ્યાં છે, જેમાં પીએમ મોદી જણાવી રહ્યાં છે કે, દિલ્હીમાં અમારી સરકાર આવશે તો પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજનાને પાસ કરી દેવામાં આવશે. પરંતુ અંતે પીએમ મોદી ખોટા સાબિત થયા છે.

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ નવી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું છે. તેમણે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની યોજનાનો ઉલ્લેખ કરતી વખતે આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં દર મહિને 2500 રૂપિયાની યોજનાને પાસ કરવામાં આવશે. આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. પહેલી કેબિનેટ બેઠક સાંજે સાત વાગ્યે મળી. દિલ્હીની બધી સ્ત્રીઓ રાહ જોઈ રહી હતી.


આ પણ વાંચો-Glass Gem Corn: શું તમે ઇન્દ્રધનુષના રંગવાળી મકાઈ વિશે જાણો છો?

આતિશીએ કહ્યું, “દિલ્હીની મહિલાઓ કેબિનેટ બેઠક પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પ્રેસ કોન્ફરન્સ કરે અને જાહેરાત કરે કે ભાજપ 2500 રૂપિયાનું વચન પૂરું કરશે, તેની રાહ જોઈ રહી હતી. પરંતુ મને દુઃખ છે કે દિલ્હીની ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું. તેમણે દિલ્હીના લોકોને છેતરવાનું શરૂ કર્યું.”

પહેલી કેબિનેટ બેઠકમાં યોજના કેમ પાસ ન થઈ – આતિશી

વીડિયો રિલીઝ કરતા આતિશીએ આગળ કહ્યું, “હું રેખા ગુપ્તા જીને પૂછવા માંગુ છું કે આજ સવાર સુધી તમે કહ્યું હતું કે 2500 રૂપિયાની યોજના પહેલી કેબિનેટ બેઠકમાં પસાર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મંચ પરથી વારંવાર કહ્યું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે દરેક મંચ પરથી કહ્યું હતું. તો પછી પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના કેમ પસાર ન થઈ?”

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં સરકારે બે જાહેરાતો કરી હતી. દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ કરવામાં આવશે. વિધાનસભાના પહેલા સત્રમાં CAG 14 રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.” આ બેઠક પછી મુખ્યમંત્રીએ કહ્યું કે પાછલી આમ આદમી પાર્ટીની સરકારે શહેરમાં આરોગ્ય યોજના લાગુ કરવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે લોકો તેનો લાભ મેળવી શક્યા ન હતા.

આ પણ વાંચો- BHARUCH: ભરુચમાં એક શખ્સે આદિવાસી મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતાં રોષ, મહેશ વસાવાએ શું કહ્યું?

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 5 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 7 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 9 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 8 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર