
Morbi: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કાર્યવાહીને પગલે દુનિયાભરમાં તેની આડકતરી અસરો શરૂ થઈ છે જેમાં ભારતમાં પણ મોટાપાયે અસર દેખાઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય બંધ થતાં 48 કલાકમાં સિરામિક કારખાનાઓને તાળા વાગી જશે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગ મોરબી સુધી પહોંચી ગઇ છે,મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો પુરવઠો આજથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે આગામી 24થી 48 કલાકમાં મોટાભાગના કારખાના બંધ થઈ જશે,ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગેસનો નિર્ણય 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો કાપ જાહેર કરવામાં આવ્યો છે,નિયમિત ગ્રાહકો માટે ફેબ્રુઆરી 2026 ના સરેરાશ દૈનિક વપરાશના 50% નક્કી કરાયો છે.
મોરબીના કુલ એકમોમાંથી 70% જેટલા કારખાનેદારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. જે સવાર સુધીમાં બંધ થઈ જશે,બાકીના માત્ર 30% એકમો જ નેચરલ ગેસ પર કાર્યરત છે,ગુજરાત ગેસ પાસેથી દૈનિક 17થી 20 લાખ ક્યુબિક ગેસ વપરાશ છે, તેનો સ્ટોક 10 દિવસ ચાલે તેટલો જ છે,કંડલા પોર્ટ પરથી ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે.
મોરબીમાં 600 સિરામિક એકમો છે, આ તમામ એકમોમાં ઈંધણ તરીકે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે.
પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સીઓએ બે દિવસ પહેલા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું,કારખાના ફરજિયાતપણે બંધ કરવા પડશે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલિયા માને છે,3 લાખ જેટલા શ્રમિકોને સીધી અને કૂલ 6 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
મંગળવારે મોરબી સિરામિક ગુજરાત ગેસ કોર્પોરેશન જીએસપીસીની કચેરીએ દોડી ગયા હતા, અધિકારીઓ દ્વારા તેમની સાથે બેઠક કરવામાં આવી હતી,ભારત દર વર્ષે 2.7 કરોડ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ની આયાત કરે છે જે પૈકી 40 ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે,જુઓ આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલનું ખાસ વિશ્લેષણ.
આ પણ વાંચો:








