Nagpur Violence: નાગપુરમાં હિંસા કેવી રીતે ફાટી?, વિવાદ ક્યાંથી શરૂ થયો?

  • India
  • March 18, 2025
  • 0 Comments

Nagpur Violence News: મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે (17 માર્ચ) રાત્રે ભયંકર હિંસા ફાટી નીકળી હતી. જોત જોતામાં અશાંતિ કોતવાલી અને ગણેશપેઠ સહિત અનેક વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં મુશ્કેલી બની ગઈ હતી. બાદમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ઘટના પછી લોકો જાણવા માંગે છે કે નાગપુરમાં હિંસા કેવી રીતે ફાટી નીકળી અને વિવાદ ક્યાંથી શરૂ થયો. શું વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અફવાઓ ફેલાઈ હતી?

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે એક અફવા ફેલાઈ હતી કે પવિત્ર ગ્રંથ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી તણાવ વધી ગયોહતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યાની આસપાસ મહેલના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા શરુ થઈ ગઈ હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં છ નાગરિકો અને ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં, અશાંતિ કોટવાલી અને ગણેશપેઠ સુધી ફેલાઈ ગઈ, અને સાંજે તે વધુ હિંસક બની ગઈ હતી.

મોટા પાયે પથ્થરમારો, તોડફોડ અને આગચંપીમાં લગભગ એક હજાર લોકો સામેલ થયા હતા, જેના કારણે અનેક વાહનો અને ઘરોને નુકસાન થયું છે. ANI એ નાગપુર પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે હિંસા રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે વધુ થઈ છે. જેના પગલે સુરક્ષા દળોએ પણ દોડી આવ્યું હતુ. હિંસા નાગપુરના હંસપુરી વિસ્તારમાં ફેલાઈ ગઈ, જ્યાં અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી છે.

તોફાનીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી

નાગપુરમાં ઓલ્ડ ભંડારા રોડ નજીક રાત્રે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે ફરી એક અથડામણ થઈ, જે દરમિયાન ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. આ વખતે ઘરો અને દવાખાનોઓમાં પણ દોડફોડ કરવામાં આવી છે.

અફવા બાદ હિંસા ફેલાઈ

પોલીસના હવાલાથી પીટીઆઈએ જણાવ્યું હતું કે હિંસા બપોરે શરૂ થઈ હતી જ્યારે બજરંગ દળના સભ્યોએ મહેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક ગ્રંથ કુરાન બાળવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે મુસ્લિમ સમુદાયમાં રોષ ફેલાયો હતો. સાંજે, ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં પવિત્ર ગ્રંથ સળગાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?

આ પણ વાંચોઃ Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!

આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?