
Narendramodi: અમેરિકન પત્રકાર અને રાજકીય વિવેચક એના કાસ્પરિયને એક ટીવી શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ તરફી નીતિને ખુલ્લી પાડી કહ્યું કે ઈઝરાયેલ માટે ભારતે પોતાના દરવાજા ખોલી આપ્યા,ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંબંધો પર તીવ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના નિવેદનના મુખ્ય મુદ્દાઓમાં અમેરિકન સરકાર સામે પણ આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે અમેરિકન સરકારને તેના સૈનિકોના જીવનની પરવા નથી અને તે અન્ય દેશોનું શોષણ કરે છે.
ભારત અને ઇઝરાયલ પર ટિપ્પણી કરતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે “નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.”
આ ટિપ્પણીઓ ઇઝરાયલી સંસદ (નેસેટ) માં પીએમ મોદીના ભાષણ, બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરારો અને ઇઝરાયલ પ્રત્યે ભારતના વલણના સંદર્ભમાં કરવામાં આવી હતી, આ નિવેદનની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ હતી અને તેને ભારતીય વિદેશ નીતિ પર આકરો હુમલો માનવામાં આવી રહ્યો છે,આ સમગ્ર મામલે વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,જુઓ ખાસ વિશ્લેષણ
આ પણ વાંચો:









