
Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન દર્શાવતા વિડીયો અને શોર્ટ એનિમેટેડ ફિલ્મો બનાવવાની શા માટે જરૂર પડી? તે વાત હંમેશા વિરોધ પક્ષોમાં ચર્ચામાં રહી છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.
અગાઉ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા એનિમેટેડ વીડિયોમાં ઘણીવાર પીએમ મોદીને એક નિર્ભય નેતા અને ‘સુપરહીરો’ તરીકે દર્શાવવામાં આવે છે, જે સ્વચ્છ ભારત, જન ધન અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓનો અમલ અને COVID-19 રોગચાળા દરમિયાન આત્મનિર્ભર ભારત સાથે $5 ટ્રિલિયન અર્થતંત્રનું લક્ષ્ય રાખે છે.
BJP એનિમેટેડ વીડિયોમાં વડા પ્રધાનને એક મસીહા તરીકે રજૂ કરે છે જે કઠિન નિર્ણયો લે છે,વિકાસ પુરુષ કાર્ટૂન: 2019 ની ચૂંટણી દરમિયાન, તેમને ‘રાફેલ’ કૌભાંડ જેવા આરોપોનો સામનો કરતા અને આખરે દેશને આગળ લઈ જતા મસીહા તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
72મો જન્મદિવસ કાર્ટૂન: ભાજપ યુવા મોરચા દ્વારા YouTube પર 72 ખાસ કાર્ટૂનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,પીએમ મોદીને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા બોલ્ડ નિર્ણયો લેનારા એક નિર્ભય વ્યક્તિ તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, આમ PM મોદીના આ વીડિયો અંગેના મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા વિસ્તુત છણાવટ કરવામાં આવી છે જે અત્રે પ્રસ્તુત છે.









