મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

  • India
  • April 10, 2025
  • 0 Comments

Manipur Violence:  મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક અનાથ આશ્રમમાં રાત્રે ગોળીબાર કરાયો છે. જેથી બાળકો સહિત વિસ્તારમાં લોકો ફફડી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે લગભગ 1:40 વાગ્યે સાગોલબંદ મીનો લીરાક ખાતે આવેલા અનાથ આશ્રમ પર સતત સાતથી આઠ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા હુમલાખોરો બાળકોના ઘરના પરિસરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ અને ગુસ્સો ફેલાયો છે. જોકે, આ ઘટનામાં કોઈ બાળકો કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. સમાજ કલ્યાણ વિભાગની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત યુનાઇટેડ સોશિયલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત આ અનાથ આશ્રમમાં લગભગ 30 છોકરાઓ રહે છે. આ ગોળીબારની ઘટના બાદ બે ઉગ્રવાદી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે.

અનાથાશ્રમના સંચાલકે શું કહ્યું?

ગોળીબારના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં પ્લેકાર્ડ પકડીને, પ્રદર્શનકારીઓએ ગોળીબારની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે સશસ્ત્ર બદમાશોએ રાત્રે લગભગ 1.40 વાગ્યે એક આશ્રમમાં છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યાં અનાથ બાળકો રહેતા હતા. બાળકોના અનાથાશ્રમનું સંચાલન કરતા ખૈદેન ઓંગબી રોમિતાએ જણાવ્યું હતું કે બાળ ગૃહ પર ગોળીબાર થયો તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બનવા દેવી જોઈએ. બાળ ગૃહમાં ઘણા અનાથ બાળકો છે.

આ પણ વાંચોઃ

વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire

સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat

 ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan

સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar

 

 

 

 

 

  • Related Posts

    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો
    • August 5, 2025

    120 Bahadur: 120 બહાદુર’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં 120 ભારતીય સૈનિકોની…

    Continue reading
    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
    • August 5, 2025

    Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    • August 5, 2025
    • 6 views
    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    • August 5, 2025
    • 3 views
    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    • August 5, 2025
    • 12 views
    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    • August 5, 2025
    • 14 views
    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    • August 5, 2025
    • 15 views
    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

    • August 5, 2025
    • 22 views
    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court