Nihang Sikhs Khalsa Tax: હિમાચલના ટેક્સના ત્રાસ સામે નિહંગોએ હાઇવે પર વસૂલ્યો ‘ખાલસા ટેક્સ’

  • India
  • June 5, 2026
  • 0 Comments

Nihang Sikhs Khalsa Tax: પંજાબના મેદાની વિસ્તારો અને હિમાચલ પ્રદેશની પહાડીઓ વચ્ચે અવરજવર કરતા સામાન્ય પ્રવાસીઓ, નાના વેપારીઓ અને ગરીબ પરિવારોને લૂંટવા માટે સરકારે ટેક્સના જે ફાંદલા નાખ્યા છે, તેની સામે જનતાનો આક્રોશ હવે હિંસક વિરોધમાં બદલાવા લાગ્યો છે. પંજાબ અને હિમાચલને જોડતા કીરતપુર સાહિબ-મનાલી હાઇવે પર બુધવારે સત્તાના નશામાં ચૂર શાસકોને ધ્રુજાવી દે તેવો એક અનોખો નજારો જોવા મળ્યો. તડકા વચ્ચે પરંપરાગત વાદળી વસ્ત્રો અને હાથમાં ભાલા-કૃપાણ ધારણ કરેલા નિહંગ શિખોનો એક મોટો સમૂહ પંજાબના રોપડ જિલ્લાના ગારા મોરા ટોલ પ્લાઝા પાસે રસ્તા પર ઉતરી આવ્યો હતો. તેમણે સરકારી વ્યવસ્થાને પડકારતા હિમાચલ પ્રદેશ પાસિંગના વાહનોને રોકીને વળતા જવાબ તરીકે ‘ખાલસા ટેક્સ’ વસૂલવાનું શરૂ કરી દીધું હતું, જે શાસકોની દમનકારી નીતિઓ સામે પ્રજાનો સીધો કાનૂની અને સામાજિક બળવો છે.

સરકારી લૂંટના જવાબમાં પ્રતીકાત્મક વસૂલાત

આ પ્રદર્શન દરમિયાન નિહંગોએ ટ્રાફિકને પૂરી રીતે જામ નહોતો કર્યો, પરંતુ હિમાચલ પ્રદેશના નંબરવાળા વાહનોને વીણી-વીણીને રોકવામાં આવ્યા હતા. તેમની પાસેથી ‘સરબત દા ભલા’ (સૌના કલ્યાણ) ના નામે ખાનગી કાર ચાલકો પાસેથી ૧૦૦ રૂપિયા અને કોમર્શિયલ ટ્રક કે બસો પાસેથી તેનાથી વધુ રકમ સ્વૈચ્છિક ફાળા તરીકે લેવાઈ હતી. સવારે ૧૧:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલેલી આ માત્ર એક કલાકની વસૂલાતે ચંદીગઢ અને શિમલાના એસી બંગલામાં બેઠેલા શાસકોના કાન ખોલી નાખ્યા છે. આ કોઈ સામાન્ય રસ્તા પરનું પ્રદર્શન નહોતું, પરંતુ હિમાચલની કોંગ્રેસ સરકાર અને પંજાબની આપ સરકાર બંનેને એક કડક ચેતવણી હતી કે પ્રજાને ટેક્સના નામે પીસવાની આ રમત હવે બંધ કરો, કારણ કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની ધીરજ હવે ખૂટી ગઈ છે.

રોજગાર અને પરિવાર પર સરકારી દંડ

નિહંગ નેતા અચ્છર સિંહે જણાવ્યું હતું કે હિમાચલ સરકાર દ્વારા પંજાબના વાહનો પર જે ગેરકાનૂની અને અમાનવીય એન્ટ્રી ટેક્સ થોપવામાં આવ્યો છે, તેના વિરોધમાં આ પગલું ઉઠાવવું પડ્યું છે. હિમાચલ એન્ટ્રી ટેક્સ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટ્રાન્સપોર્ટરો, ગરીબ ખેડૂતો, નાના વેપારીઓ અને ધાર્મિક સંગઠનો મહિનાઓથી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, પણ બહેરી સરકારે સાંભળ્યું નહીં. આ સરહદી વિસ્તારોમાં પરિવારોના સંબંધીઓ અને વેપાર બંને રાજ્યોમાં ફેલાયેલા છે. રોજીરોટી, સારવાર કે શિક્ષણ માટે દરરોજ બોર્ડર ક્રોસ કરતા સ્થાનિકો માટે હિમાચલ સરકારનો આ ટેક્સ સુવિધાના નામે ઉઘાડી લૂંટ અને દંડ સમાન છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે હિમાચલ સરકારે ૧૯૭૫ ના જૂના ટોલ એક્ટનો સહારો લઈને ટેક્સના દરો રાતોરાત વધારી દીધા. લોકદબાણ હેઠળ ખાનગી વાહનોનો ટેક્સ આંશિક પાછો ખેંચાયો, પણ મૂળ લૂંટ ચાલુ જ રાખવામાં આવી છે.

નિહંગોનું પંજાબ સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ

આ ટૂંકા વિરોધ પ્રદર્શન બાદ સ્થાનિક પોલીસ અને ખેડૂત નેતાઓની વિનંતીને માન આપીને પ્રવાસન સીઝનમાં પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે નિહંગોએ વસૂલાત અટકાવી દીધી છે, પણ આ માત્ર તોફાન પહેલાની શાંતિ છે. નિહંગ સમુદાયના અગ્રણી નેતા બાબા અચ્છર સિંહ મહાકાલે પંજાબ સરકારને નપુંસક નીતિઓ છોડવા માટે સ્પષ્ટ ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ગર્જના કરી છે કે, “પંજાબ સરકાર તાત્કાલિક જાગે અને હિમાચલના વાહનો પર પણ ‘જેવા સાથે તેવા’ નો જવાબ આપીને સમાન ટેક્સ (Reciprocal Tax) લગાવે અથવા અમારી સાથે ટેબલ પર બેસીને વલણ સાફ કરે. જો ૧૦ દિવસમાં કોઈ કડક નિર્ણય નહીં લેવાય, તો પંજાબ-હિમાચલ બોર્ડર પર કાયમી મોરચો માંડીને બંને રાજ્યોનો આર્થિક વ્યવહાર ઠપ્પ કરી દેવામાં આવશે.”

સરકારની આ ટેક્સ નીતિઓ સામાન્ય માણસના ખિસ્સા પર કેવો ધાડ મારે છે, તેનો ચિતાર ચંદીગઢ-મનાલી વચ્ચે ટ્રક ચલાવતા બલવિંદર સિંહે આપ્યો. તેમણે કહ્યું કે, “પહાડોના રસ્તા મુશ્કેલ છે, ભૂસ્ખલન અને બરફવર્ષા થાય છે તે અમે સમજીએ છીએ, પણ એ બહાને રોજ કમાઈને ખાતા ટ્રાન્સપોર્ટરો પાસેથી હજારો રૂપિયા પડાવવા તે ક્યાંનો ન્યાય છે? અઠવાડિયામાં ચાર વાર સરહદ ઓળંગવા માટે અમારે વ્યાજખોરોના ચક્કરમાં પડવું પડે છે. નિહંગોએ જે કર્યું તે સરકારની આંખો ખોલવા માટે જરૂરી હતું, કારણ કે સામાન્ય જનતા કંટાળી ગઈ છે.” નેતાઓ કુદરતી આફતોના સમારકામના નામે જનતા પાસેથી ટેક્સ વસૂલે છે, પરંતુ એ કરોડો રૂપિયા રસ્તાના સમારકામમાં વપરાવાને બદલે નેતાઓના પ્રચાર અને ભ્રષ્ટાચારમાં સરી જાય છે.

મંત્રી જગત સિંહ નેગીની નિર્લજ્જતા

બીજી તરફ, એસી ઓફિસોમાં બેસીને જનતાના લોહી-પરસેવાના પૈસા પર જલસા કરતા હિમાચલ પ્રદેશના મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ આ ગંભીર મુદ્દા પર અત્યંત શરમજનક અને સંવેદનહીન નિવેદન આપ્યું છે. તેમણે ગરીબો અને ટ્રાન્સપોર્ટરોના આ આક્રોશને સ્વીકારવાને બદલે તેને વિરોધ પક્ષ ‘ભાજપનું ષડયંત્ર’ ગણાવી દીધું છે. નેગીએ બણગાં ફૂંકતા કહ્યું કે, “રાજ્યને ટેક્સ વસૂલવાનો પૂરો અધિકાર છે અને ભાજપ કેટલાક લોકોને ઉશ્કેરીને અસ્થિરતા પેદા કરવા માંગે છે. જો રોડ પર કોઈ હંગામો થશે તો અમે કાયદો અને વ્યવસ્થાના નામે કડક હાથે પ્રદર્શનકારીઓને કચડી નાખીશું.” સત્તાધારીઓ જ્યારે પણ પોતાની નાકામી છુપાવવા માંગે છે, ત્યારે તેઓ પ્રજાના આંદોલનને વિપક્ષનું કાવતરું ગણાવીને લાઠીચાર્જ અને જેલના ડંડા બતાવવા લાગે છે.

બંને રાજ્યોની મિલીભગત અને બાબુશાહી વલણ

આ આખી ઘટના દરમિયાન પંજાબ પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી, કારણ કે તેમને પણ ખબર છે કે જનતાનો આક્રોશ સાચો છે. પંજાબ સરકારના બાબુઓ અને વરિષ્ઠ અધિકારીઓ હવે ગોળગોળ જવાબો આપી રહ્યા છે કે બંને રાજ્યોની સરકારો પરસ્પર વાતચીતથી મામલો ઉકેલે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હાથ જોડીને વોટ માંગતા આ નેતાઓ સત્તા પર બેઠા પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં આટલી આળસ કેમ દાખવે છે? ૧૦ દિવસની આ અલ્ટીમેટમની ઘડિયાળ હવે ટિક-ટિક કરી રહી છે. જો શાસકો પોતાની હઠધર્મી અને લોભી નીતિઓ નહીં બદલે, તો હિમાચલ અને પંજાબની બોર્ડર પર થનારો જનવિસ્ફોટ આ અહંકારી સરકારોના પાયા હચમચાવી નાખશે તે નક્કી છે.

આ પણ વાંચો: 

Manipur Kuki SIR Protest: મણિપુરમાં સત્તાનો ક્રૂર ખેલ! પ૯,૦૦૦ વિસ્થાપિતોને મતાધિકારથી વંચિત રાખીને કઈ લોકશાહી બચાવવા માંગે છે સરકાર? – thegujaratreport.com

Gujarat Political Spying: જનતાના કરોડો રૂપિયા નેતાઓની જાસૂસીમાં સ્વાહા! ગુજરાતમાં કેશુભાઈના સમયથી શરૂ થયેલી ‘સ્પાય ગેમ’ હવે AI સુધી પહોંચી – thegujaratreport.com

NCR EWS Housing Discrimination: NCR ની હાઇફાઇ સોસાયટીઓમાં RWA ના ભેદભાવ સામે જનતાનો બળવો – thegujaratreport.com

Related Posts

Great Nicobar Project પર રાહુલ ગાંધીની ચિંતા, પર્યાવરણ અને આદિવાસી અધિકારોને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલો
  • June 5, 2026

Great Nicobar Project: સરકાર જ્યારે પણ ‘વિકાસ’ અને ‘રાષ્ટ્રીય સુરક્ષા’ જેવા મોટા-મોટા શબ્દોનો આશરો લે છે, ત્યારે સમજવું કે પડદા પાછળ કોઈ મોટા ઉદ્યોગપતિની તિજોરી ભરવાનો ખેલ ચાલી રહ્યો છે.…

Continue reading
West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં સરકાર પણ ભાજપની અને વિપક્ષ પણ ભાજપનો
  • June 5, 2026

West Bengal Politics: સોવિયેત રશિયાના સરમુખત્યાર વ્લાદિમીર લેનિનનું એક પ્રખ્યાત કથન પશ્ચિમ બંગાળની વર્તમાન દયનીય રાજકીય સ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે: “વિપક્ષને નિયંત્રિત કરવાનો સૌથી સારો રસ્તો એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Great Nicobar Project પર રાહુલ ગાંધીની ચિંતા, પર્યાવરણ અને આદિવાસી અધિકારોને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલો

  • June 5, 2026
  • 4 views
Great Nicobar Project પર રાહુલ ગાંધીની ચિંતા, પર્યાવરણ અને આદિવાસી અધિકારોને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલો

Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ!

  • June 5, 2026
  • 6 views
Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ!

West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં સરકાર પણ ભાજપની અને વિપક્ષ પણ ભાજપનો

  • June 5, 2026
  • 8 views
West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં સરકાર પણ ભાજપની અને વિપક્ષ પણ ભાજપનો

Nihang Sikhs Khalsa Tax: હિમાચલના ટેક્સના ત્રાસ સામે નિહંગોએ હાઇવે પર વસૂલ્યો ‘ખાલસા ટેક્સ’

  • June 5, 2026
  • 9 views
Nihang Sikhs Khalsa Tax: હિમાચલના ટેક્સના ત્રાસ સામે નિહંગોએ હાઇવે પર વસૂલ્યો ‘ખાલસા ટેક્સ’

NCR EWS Housing Discrimination: NCR ની હાઇફાઇ સોસાયટીઓમાં RWA ના ભેદભાવ સામે જનતાનો બળવો

  • June 5, 2026
  • 8 views
NCR EWS Housing Discrimination: NCR ની હાઇફાઇ સોસાયટીઓમાં RWA ના ભેદભાવ સામે જનતાનો બળવો

K Annamalai BJP Resignation: વ્યૂહાત્મક મતભેદોના કારણે અન્નામલાઈએ BJP માંથી આપ્યું રાજીનામું, નવું આંદોલન શરૂ કરવાની કરી જાહેરાત

  • June 5, 2026
  • 7 views
K Annamalai BJP Resignation: વ્યૂહાત્મક મતભેદોના કારણે અન્નામલાઈએ BJP માંથી આપ્યું રાજીનામું, નવું આંદોલન શરૂ કરવાની કરી જાહેરાત