NISAR launching: ભારતે રચ્યો ઈતિહાસ, નીસાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

  • India
  • July 30, 2025
  • 0 Comments

NISAR launching: ભારતીય અવકાશ એજન્સી ISRO એ બુધવારે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ISRO એ 30 જુલાઈની સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સંયુક્ત રીતે NASA-ISROએ NISAR મિશન લોન્ચ કર્યું છે. આ ઉપગ્રહ GSLV-F16 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ પૃથ્વી પર નજર રાખવાનું કામ કરશે. તેને NISAR નામ આપવામાં આવ્યું છે. ISRO આ ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકશે.

ISRO-NASA સહયોગમાં એક સીમાચિહ્ન

બુધવારે ISRO એ $1.5 બિલિયન NISAR ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું, જે તેનું પ્રથમ રડાર ઇમેજિંગ મિશન NASA સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું. NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) નામનો ઉપગ્રહ, બે અવકાશ એજન્સીઓ વચ્ચેનો સહયોગ રજૂ કરે છે.

ડૉ. વી. નારાયણનએ NISAR મિશન પર શું કહ્યું?

ISRO ના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરના ડિરેક્ટર, ડૉ. વી. નારાયણન, NISAR મિશનના સફળ પ્રક્ષેપણ પર સંબોધન કર્યું. તેમણે NASA-ISRO ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જટિલ એન્જિનિયરિંગ પાછળની ટીમોની પ્રશંસા કરી, અને NISAR ને પૃથ્વી નિરીક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં એક મોટું પગલું ગણાવ્યું.

747  કિમીની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે

આ ઉપગ્રહ  શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:40 વાગ્યે GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચિંગ કરાયો. રોકેટે NISAR ને 747 કિમીની ઊંચાઈ પર સૂર્ય-સમન્વયિત ભ્રમણકક્ષામાં મૂક્યો. તેમાં લગભગ 18 મિનિટનો સમય લાગ્યો. નિસાર 747  કિમીની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે. ધ્રુવીય ભ્રમણકક્ષા એ એક ભ્રમણકક્ષા છે જેમાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવો પરથી પસાર થાય છે. આ મિશનનો સમયગાળો ૫ વર્ષનો છે. આ પહેલી વાર છે જ્યારે GSLV રોકેટ દ્વારા કોઈ ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે.

NISAR વિશે જાણો

નીસાર (NISAR NASA-ISRO Synthetic Aperture Radar) નાસા (NASA) અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ (Earth Observation Satellite) છે. ઉપગ્રહ બે આવૃત્તિઓ (dual-frequency) ધરાવતું પ્રથમ રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે, જે એલ-બેન્ડ (L-band) અને એસ-બેન્ડ (S-band) સિન્થેટિક એપર્ચર રડાર (SAR) નો ઉપયોગ કરે છે. તેનો મુખ્ય હેતુ પૃથ્વીની સપાટી, બરફના સમૂહ, ઇકોસિસ્ટમ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, ભૂસ્ખલન જેવી કુદરતી આફતો અને જળવાયુ પરિવર્તનની અસરોનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો છે.

આ પણ વાંચો:

ISRO ની કમાલ, પહેલા જ શોધી કાઢશે વીજળી ક્યા પડશે?, વાંચો વધુ

ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

MP: ભાજપ નેતાએ વિધવાને દેહવ્યાપારમાં ધકેલી દીધી, મેનેજરના પદની લાલચ આપી હતી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

Vadodara: યુવીતએ 7માં માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું, શું છે કારણ?

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Related Posts

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?
  • July 20, 2026

Forest Diversion: કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની અધિકૃત સમિતિએ છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાં કોલસા તથા લોખંડ અયસ્ક ખનન યોજનાઓ માટે કુલ ૧,૯૫૪.૩૫ હેક્ટર વન જમીનના ડાયવર્ઝન એટલે કે…

Continue reading
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ
  • July 20, 2026

Jantar Mantar Protest: દિલ્હીના જંતર-મંતર પર સોમવાર, ૨૦ જુલાઈના રોજ હરિયાણા અને દેશના અન્ય ખૂણેથી આવેલા યુવાનો, વાલીઓ અને નાગરિકોનો વિશાળ જનસૈલાબ જોવા મળ્યો હતો. ‘ચાલો સંસદ’ માર્ચમાં જોડાવા આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 3 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 5 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 10 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!