‘પાકિસ્તાન યાદ રાખે કરાચીનો રસ્તો ગુજરાતના સર ક્રીકમાંથી પસાર થાય છે’, રાજનાથ સિંહના નિવેદનથી ખળભળાટ

  • India
  • October 5, 2025
  • 0 Comments

Rajnath Singh statement: પાકિસ્તાન યાદ રાખે કે કરાચી જવાનો રસ્તો ગુજરાતના સર ક્રીકમાંથી પસાર થાય છે તેવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળે મિસાઇલ ફાયરિંગ ડ્રીલની જાહેરાત કરી છે.

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે કરાચીનો માર્ગ સર ક્રીકમાંથી પસાર થાય છે,આ નિવેદનથી પાકિસ્તાની નૌકાદળમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાની નૌકાદળે કરાચી બંદરને અડીને આવેલા અરબી સમુદ્રમાં મિસાઇલ ફાયરિંગ ડ્રીલ અંગે ઉતાવળમાં નોટિસ જારી કરી હતી.

પાકિસ્તાની નૌકાદળે 9-10 ઓક્ટોબરના રોજ કરાચીથી અરબી સમુદ્રમાં મિસાઇલ અને તોપમારા અંગેનો ખુલાસો કરતી નોટમ (નોટિસ ટુ મરીનર્સ) જારી કરી છે.
રાજનાથ સિંહના નિવેદનના બે દિવસ પછી આ નોટમ આવ્યું છે.

મહત્વનું છે કે વિજયાદશમી (2 ઓક્ટોબર) ના અવસર પર, રાજનાથ સિંહે ગુજરાતના સર ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ દુષ્પ્રેરણા કે વિસ્તરણની ચેષ્ટા પાકિસ્તાનનો ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખશે.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 78 વર્ષ છતાં, સર ક્રીક વિસ્તારમાં સરહદ અંગે (પાકિસ્તાન તરફથી) હજુ પણ વિવાદ ઉભો થઈ રહ્યો છે. ભારતે ઘણી વખત વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઈરાદો સારો નથી અને સર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં તાજેતરમાં તેના લશ્કરી માળખાના વિસ્તરણથી તેના ઈરાદા છતા થાય છે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળ (BSF) ભારતની સરહદોનું સતર્કતાથી રક્ષણ કરી રહ્યા છે. જો પાકિસ્તાન સર ક્રીક વિસ્તારમાં કોઈ પણ આક્રમક કૃત્ય કરવાની હિંમત કરશે, તો તેને જડબાતોડ જવાબ મળશે જે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખશે.” સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ખાડીમાંથી પસાર થાય છે.

રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને લેહથી સરક્રીકના આ વિસ્તારમાં ભારતની સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, તેની જવાબી કાર્યવાહીમાં, ભારતીય દળોએ પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે એક્સપોઝ કરી દીધી હતી અને વિશ્વને સંદેશ આપ્યો કે ભારતીય દળો ગમે ત્યાં અને ગમે તે રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

બીજી તરફ પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા મંત્રી અને લશ્કરી અધિકારીઓના બેજવાબદાર નિવેદનો આક્રમકતા ઉશ્કેરવાનો પ્રયાસ છે. આનાથી દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ગંભીર રીતે ખતરામાં આવી શકે છે.

સાથે જ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના પાકિસ્તાને વિચારવું પડશે, ભૂગોળમાં રહેવું છે કે નહીં આ નિવેદન પર જવાબ આપ્યો કે જ્યાં સુધી પાકિસ્તાનના નક્શાને દૂર કરવાની વાત છે. ભારતને જાણકારી હોવી જોઈએ કે આવી સ્થિતિ આવશે, તો વિનાશ બંને બાજુએ થશે.

આ પણ વાંચો: 

West Bengal: દાર્જિલિંગમાં કુદરતે કહેર વર્તાવ્યો, પુલ તૂટી પડતા 6 લોકોના મોત, જુઓ કેવી થઈ સ્થિતિ!

Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ

Vadodara: વકીલે ઓફિસમાં જ કામ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

Uttarakhand: ‘આ બધુ તમારા ઘરમાં કરો’, ‘તમે અમને કહેવાવાળા કોણ?’, હિંદુ સંગઠને વેસ્ટર્ન કપડાંનો વિરોધ કરતાં છોકરીઓએ આપ્યા…

 

Related Posts

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની
  • July 15, 2026

Ethanol Scam MP: હાલના સમયમાં દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ ભેળવવાની (બ્લેન્ડિંગ) પ્રક્રિયા પર મોટી ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ગ્રાહકો પોતાની ગાડીઓની માઈલેજ અને એન્જિનની સ્થિતિને લઈને ચિંતિત છે,…

Continue reading
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?
  • July 15, 2026

Taj Mahal Allahabad HC: તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં તાજમહેલને લઈને દાખલ કરવામાં આવેલી એક અરજીએ દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે તાજમહેલની તપાસ થવી જોઈએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

  • July 15, 2026
  • 2 views
Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

  • July 15, 2026
  • 3 views
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

  • July 15, 2026
  • 6 views
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

  • July 14, 2026
  • 7 views
Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

  • July 14, 2026
  • 9 views
Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર

  • July 14, 2026
  • 8 views
India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર