રાજ્યમાં ટુરિઝમની કથળતી સ્થિતિ; નળ સરોવરમાં બોટિંગ બંધ થતાં 15 ગામના લોકો નવરા

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

શિયાળાની કડકડતી ઠંડીમાં દેશવિદેશથી આવતા વિવિધ જાતિના પક્ષીઓને નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. છિછરા પાણીમાં બોટમાં બેસીને ફ્‌લેમિંગો, પેલિકન, વાઇટ સ્ટોર્ક, સાઇબેરિયન ક્રેન જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવા માટે રાજ્યભરમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી પડે છે. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓના લોકોને રોજગારી મળી રહે છે. પરંતુ વર્તમાન સમયમાં સરકારની નીતિઓના કારણે ગ્રાઉન્ડ ઉપર રોજગારી ઓછી થઈ રહી છે. હાલમાં નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાના કારણે આસપાસના 15 ગામના લોકો બેરોજગાર બન્યા છે.

નળ સરોવરમાં બોટિંગ બંધ

એક તરફ, ઇકો ટુરિઝમની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. એટલુ જ નહીં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ ફિલ્મ થકી પ્રચારના નામે લાખો કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડ નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાયુ છે પરિણામે 15 ગામના ગરીબ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.

દેશી ઢાબા-ખાણીપીણી થકી રોજી મેળવતાં ગરીબ પરિવારોની કફોડી દશા

શિયાળામાં પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. 120થી વઘુ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલા નળ સરોવરમાં ગત વર્ષે 140થી વધુ પ્રજાતિના 3.20 લાખ વિદેશી પક્ષીઓ આવ્યા હતા. ગત વર્ષે જ 61 હજાર પ્રવાસીઓએ નળસરોવરની મુલાકાત લઇને પક્ષીઓને નિહાળ્યા હતાં. એશિયન ઓપનબિલ, પેલિકન સહિત વિવિધ જાતિના વિદેશી પક્ષીઓ વેટલેન્ડને પોતાનુ ઘર બનાવે છે.

રાજ્યમાં ટુરિઝમની કથળતી સ્થિતિ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

નળ સરોવર ખાતે બોટિંગ સેવા પુનઃ શરુ કરવા કોંગ્રેસની માગ હરણીકાંડ બાદ રાજ્ય સરકારની નીતિ રિતી થી નળસરોવર આસપાસનાં 15 ગામના લોકો થયા પ્રભાવિત સાબરમતી નદીમાં રીવરક્રુઝને મંજૂરી તો નળસરોવર ખાતે બોટિંગ કેમ બંધ નળસરોવરમાં બોટિંગ અને ઘોડે સવારી બંધ થઈ.વિશ્વની 25 રામસર સાઈટ પૈકીની એક એટલે નળ સરોવર ગરીબ નાવિકોની પરિસ્થતિ આજે કફોડી..માત્ર બોટનાં માધ્યમથી ચાલતી હતી સ્થાનિક નાવિકોની આજીવિકા રાજ્ય સરકાર જે SOP બનાવે તેં નાના લોકોને ધ્યાને રાખી બનાવે ગત વર્ષે નળસરોવરમાં 60 હજાર લોકો એ મુલાકાત લીધી.નળસરોવર ખાતે વર્ષ માં બે મહિના વિદેશી પક્ષીઓ આવે છે.

પ્રવાસન,વન-સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી

હરણીકાંડના નામે નળ સરોવરમાં પણ બોટિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે વિરમગામ, લિંબડી અને બાવળા તાલુકાના 15થી વધુ ગામોના ગરીબ લોકોનું ગુજરાત જ બોટિંગ પર થાય છે ત્યારે બોટિંગ બંધ કરી દેવાતા આ પરિવારોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વેટલેન્ડમાં પક્ષી નિહાળવા આવતાં પ્રવાસીઓને બાજરાના રોટલા, રીગણનું ભરથુ જેવી ગુજરાતી વાનગીઓ પિરસીને રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારના ફાંફા થયાં છે.

સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પૂરું પાળવું જોઈએ

એક બાજુ, સરકાર પ્રવાસન અને ઇકો ટુરિઝમના નામે સ્થાનિકોને રોજગાર મળે તેવા ગાણાં ગાઇ રહી છે પણ વાસ્તવિકતા એ છેકે, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સુવિધાના નામે મિંડુ છે. પક્ષીઓને નિહાળવા આવતાં વિદ્યાર્થીઓ, પક્ષીપ્રેમી ઉપરાંત પ્રવાસીઓ વેટલેન્ટ પર કેવી રીતે જશે તે સવાલ ઉભો થયો છે. સાથે સાથે છિછરુ પાણી હોવા છતાં બોટિંગ બંધ કરી દેવાયુ છે જે વાત લોકોના ગળે ઉતરે તેમ નથી. આમ, ખુદ વન-પ્રવાસન વિભાગ અને સરકારના નિર્ણયને પગલે ગરીબ પરિવારોને રોજગારી ગુમાવવી પડી છે જેના કારણે એવી માંગ ઉઠી છેકે, સરકાર આ દિશામાં ચોકક્સ માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પુરો પાડે.

નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે.
નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે.પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું નળસરોવર 120.08 કિ.મી.ના છીછરા પાણીમાં પથરાયેલું છે.નળસરોવરમાં આજકાલ ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે.નળ સરોવર એટલે રંગ-બેરંગી પક્ષીઓનું નિવાસ સ્થાન છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે.રણ અને અફઘાનિસ્તાનતી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે.નળ સરોવરમાં ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે

Related Posts

Visavadar: આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ, શું પોલીસ ભાજપ માટે કરે છે?
  • June 19, 2025

 Visavadar:  ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો…

Continue reading
Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!
  • June 19, 2025

 Gujarat illegal infiltration: ગુજરાતમાંથી વારંવાર બાંગ્લાદેશીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે સવાલએ થયા છે કે સરકાર ગેરકાયે ઘૂસતાં બાંગ્લાદેશી માટે છીંડા કેમ રાખે છે. કેમ કડક સુરક્ષા બંદોબસ્ત હોતો નથી. વિદેશી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

દાવતના બદલામાં NOBEL PRIZE માટે સમર્થન! ટ્રમ્પે મુનીરને કેમ બાલાવ્યા, જાણો

  • June 19, 2025
  • 6 views
દાવતના બદલામાં  NOBEL PRIZE  માટે સમર્થન! ટ્રમ્પે મુનીરને કેમ બાલાવ્યા, જાણો

Rahul gandhi birthday: કોંગ્રેસ દ્વારા રોજગાર મેળાનું આયોજન, હજારો લોકોને મળશે રોજગારી

  • June 19, 2025
  • 5 views
Rahul gandhi birthday: કોંગ્રેસ દ્વારા રોજગાર મેળાનું આયોજન, હજારો લોકોને મળશે રોજગારી

કેનેડામાં નહીં બિહારમાં અંગ્રેજી બોલતા મોદીને શાહનો ટોણો?, ‘અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ | Amit Shah

  • June 19, 2025
  • 10 views
કેનેડામાં નહીં બિહારમાં અંગ્રેજી બોલતા મોદીને શાહનો ટોણો?, ‘અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ | Amit Shah

Visavadar: આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ, શું પોલીસ ભાજપ માટે કરે છે?

  • June 19, 2025
  • 10 views
Visavadar: આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ, શું પોલીસ ભાજપ માટે કરે છે?

Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!

  • June 19, 2025
  • 18 views
Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!

Gujarat by Election 2025: વિસાવદર અને કડીમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?

  • June 19, 2025
  • 17 views
Gujarat by Election 2025: વિસાવદર અને કડીમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?