Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • India
  • April 21, 2026
  • 0 Comments

Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP ફેસિલિટીસ માન-મોભો-વટ અને સરકારી અધિકારીઓ પણ સલામ મારે તેવા આ ફિલ્ડમાં ભલા કોણ જવા ન માંગે અને એટલેજ નેતા બનવા માટે સૌ ઉત્સુક છે અને જો વારો આવી જાય તો બેકારી જોજનો દૂર ફેંકાઈ જાય, પ્રજાનું ભલું થાય કે ન થાય પણ નેતાનું ધાર્યું થઈ જાય છે.

હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે જે ઉમેદવાર રિપીટ થયા તેઓએ રજૂ કરેલા એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે,જેમાં 2021માં નેતા બન્યા ત્યારની અને હવે 2026માં ફરી નેતા બનવા ફોર્મ ભર્યા ત્યારે સંપત્તિ કેટલી વધી તે વાતની સત્યતા સામે આવી છે અમદાવાદની વાત કરવામાં આવેતો વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિ. કાઉન્સિલર બન્યા ત્યારે કેટલાક ઉમેદવાર પાસે પોતાનું ઘર, શોપ, જમીન વગરે નહોતું પણ પાંચ વર્ષ બાદ ઘણા એવા કોર્પોરેટરો છે તેઓ માલામાલ બની ગયા છે.

ઘણા નેતાઓએ અમદાવાદ સહિત ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીનો પણ ખરીદી છે. પ્લોટ પણ લીધા છે. જ્યારે કેટલાક નેતાઓનું બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં સપનાનું ઘર એવા આલીશાન મહેલ પણ ખરીદી લીધા છે. ઘરના દરવાજે ત્રણ-ચાર વૈભવી ગાડીઓ શોભાયમાન થઈ ગઈ છે. જેઓએ કોઈ જગ્યાએ કોઈ રોકાણ પણ નહોતું કર્યું, તેમની પાસે પત્ની અને બાળકોના નામે પણ લાખોની એફડી, જીવનવીમા પોલિસી થઈ ગઈ અને સુરક્ષિત લાઈફ બનાવી લીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, દેવાંગ દાણી, રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ સહિતની સંપત્તિ વધીને બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની મિલકત ત્રીસેક ગણી થઈ ગઈ છે. આ વધારો વર્ષ 2021 અને 2026માં ઉમેદવારોએ રજૂ કરેલા સોંગદનામાં પરથી સામે આવ્યો છે.

ભાજપમાંથી રામોલ- હાથીજણના કાઉન્સિલર મૌલિક પટેલ અને કોંગ્રેસમાંથી દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષી પાંચ વર્ષમાં જમીનદાર બની ગયા છે. જ્યારે ખોખરામાંથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલે વીસથી વધુ કંપનીઓના શેર ખરીદી લીધા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે આ સિવાય સોનુ અને સંપત્તિની વિગતો પણ ખુલી છે જેમાં ઘણી પ્રગતિ કરી હોવાનો ખુલાસો થયો છે આમ,પાંચ વર્ષમાં નેતાઓની વધેલી સંપતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે હાલ,લોકશાહી માત્ર તમાશો બની છે અને જનતાને માત્ર વોટનો અધિકાર રહી ગયો છે જેમાં, હમણાં હમણાં તો બિન હરીફ બેઠક કરી તે અધિકાર પણ છીનવાઈ ગયો છે ત્યારે માત્ર નામની રહી ગયેલી લોકશાહી મામલે જનતામાં સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો
  • June 12, 2026

NewsClick FIR Quashed: દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિક અને તેના સ્થાપક-સંપાદક પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR) રદ કરીને પત્રકારત્વ અને લોકશાહીના મૂલ્યોની મોટી જીત મેળવી છે. કેરળના વિપક્ષના નેતા પિનારાઈ વિજયને…

Continue reading
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!
  • June 12, 2026

Gauri Lankesh Murder Case: પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશની નિર્મમ હત્યાને નવ વર્ષ વીતી ગયા છે, છતાં ન્યાય હજુ પણ દૂરની ક્ષિતિજ જેવો ભાસે છે. આટલા લાંબા ગાળામાં આ કેસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 4 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 8 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 9 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 7 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 18 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 12 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી