West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!

  • India
  • April 20, 2026
  • 0 Comments

West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી બીજેપી સમર્થક મતદારો બંગાળમાં બોલાવવામાં આવી રહયા છે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરતથી 5000 બંગાળી મતદારોને બંગાળ લઈ જઈ ભાજપ તરફી મતદાન કરાવવા માટે સ્પેશ્યલ ટ્રેનો મૂકી છે જે બિલકુલ મફત મુસાફરી રહેવાની છે.

રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર બંગાળ જવા મતદારો ઉમટ્યા હતા પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1800 જેટલા મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન મારફતે બંગાળ જવા રવાના થયા હતા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને તેઓએ સ્ટેશન પર ‘વંદે માતરમ’ તથા ‘જય શ્રીરામ’ના નારાઓ લગાવ્યા હતા સુરતમાં વસતા બંગાળીઓ ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે.

રવિવારે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે જ્યાંથી તેઓ પોતાના વિસ્તારમાં પહોંચશે સુરત બંગાળી સમાજના નેતાઓનું કહેવું છે કે ખાસ કરીને શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે પોતાના વતન બંગાળમાં મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

આમ,ભાજપ દ્વારા આ રીતે બંગાળમાં પોતાની પક્કડ મજબૂત કરવા આ રીતનું આયોજન કરાયુ છે સુરતથી વતન જનારા કારીગરો પોતાના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફી વોટિંગ કરવા જણાવી શકે તેથી ભાજપને વધુ મતો મળે તે પ્રકારની વ્યૂહરચના હોવાનું અગ્રણીઓનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ 2026 ના રોજ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 2026 ના રોજ થવાનું છેઅહીં TMC સુપ્રીમો મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પર સૌની નજર છે, જ્યાં મમતા બેનર્જી, ભાજપના સુવેન્દુ અધિકારી અને કોંગ્રેસના પ્રદીપ પ્રસાદ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું
  • June 4, 2026

CBSE OSM Controversy: દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમની ગેરરીતિઓએ કેન્દ્ર સરકારની પોલ ખોલી દીધી છે. આ…

Continue reading
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’
  • June 4, 2026

Yogi Adityanath Cow Politics: ઉત્તર પ્રદેશમાં ગાય અને ગોવંશના નામે રાજકારણ ગરમાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વધુ એક દંભી ચહેરો દેશ સામે આવ્યો છે. મુસ્લિમ ધર્મગુરુઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

  • June 4, 2026
  • 5 views
CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

  • June 4, 2026
  • 7 views
Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

  • June 4, 2026
  • 10 views
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

  • June 4, 2026
  • 6 views
Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

  • June 4, 2026
  • 10 views
Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ

  • June 4, 2026
  • 10 views
Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ