
West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી બીજેપી સમર્થક મતદારો બંગાળમાં બોલાવવામાં આવી રહયા છે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરતથી 5000 બંગાળી મતદારોને બંગાળ લઈ જઈ ભાજપ તરફી મતદાન કરાવવા માટે સ્પેશ્યલ ટ્રેનો મૂકી છે જે બિલકુલ મફત મુસાફરી રહેવાની છે.
રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર બંગાળ જવા મતદારો ઉમટ્યા હતા પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1800 જેટલા મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન મારફતે બંગાળ જવા રવાના થયા હતા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને તેઓએ સ્ટેશન પર ‘વંદે માતરમ’ તથા ‘જય શ્રીરામ’ના નારાઓ લગાવ્યા હતા સુરતમાં વસતા બંગાળીઓ ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે.
રવિવારે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે જ્યાંથી તેઓ પોતાના વિસ્તારમાં પહોંચશે સુરત બંગાળી સમાજના નેતાઓનું કહેવું છે કે ખાસ કરીને શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે પોતાના વતન બંગાળમાં મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
આમ,ભાજપ દ્વારા આ રીતે બંગાળમાં પોતાની પક્કડ મજબૂત કરવા આ રીતનું આયોજન કરાયુ છે સુરતથી વતન જનારા કારીગરો પોતાના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફી વોટિંગ કરવા જણાવી શકે તેથી ભાજપને વધુ મતો મળે તે પ્રકારની વ્યૂહરચના હોવાનું અગ્રણીઓનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ 2026 ના રોજ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 2026 ના રોજ થવાનું છેઅહીં TMC સુપ્રીમો મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પર સૌની નજર છે, જ્યાં મમતા બેનર્જી, ભાજપના સુવેન્દુ અધિકારી અને કોંગ્રેસના પ્રદીપ પ્રસાદ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









