પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આપ્યું મોટું નિવેદન

  • India
  • December 30, 2024
  • 0 Comments

બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ બિહારમાં આ મુદ્દે ભારે રાજનીતિ ચાલી રહી છે. જાણો કેવી રીતે વિદ્યાર્થીઓનું આ આંદોલન બિહારમાં રાજકીય લડાઈનું કેન્દ્ર બની રહ્યું છે.

જન સૂરજના નેતા પ્રશાંત કિશોરે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદ બોલાવી હતી. આ પછી મોડી સાંજે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ અંગે પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. તેઓ આજે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પીકેએ કહ્યું કે, ‘નીતીશ કુમારની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેઓ વધુ એક વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે કામ કરશે. પોલીસને આડકરતી ધમકી આપતા કહ્યું કે જે પોલીસ અધિકારીઓને હીરો બનવાનો શોખ છે, તેમણે સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે.’

‘લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

જ્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેમને ભાજપની બી ટીમ ગણાવ્યા તો પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘બાળકોના મુદ્દે રાજનીતિ ન કરો. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા ઉમેદવારોને મળવા હોસ્પિટલ કેમ ન ગયા? લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

પ્રશાંત કિશોર સિટી એસપી વિરુદ્ધ NHRCનો સંપર્ક કરશે

બીજી તરફ જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી પુનઃ પરીક્ષાની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું આંદોલન બંધ નહીં થાય.’ મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘પુનઃપરીક્ષા એટલા માટે નથી થઈ રહી કારણ કે હજારો કરોડની ડીલ થઈ છે. અડધાથી વધુ પોસ્ટ વેચાઈ ગઈ છે. હું વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને સિટી એસપી વિરુદ્ધ NHRC કોર્ટમાં જઈશ.’

પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ત્રીજી વખત BPAC ઉમેદવારો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવે છે, સીએમ નીતિશ કુમારને સવાલ પૂછો. તે દિલ્હીમાં બેઠા છે અને કંઈ બોલતા નથી અને બિહારના ચાર નિવૃત્ત અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે.’

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 4 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 10 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 4 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 15 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 6 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!