રાજસ્થાનની ભાજપ સરકારનો શિક્ષણ પર વાર; 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા

  • India
  • January 18, 2025
  • 0 Comments
  • રાજસ્થાનની ભાજપ સરકારે 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા

રાજસ્થાનની ભાજપ સરકારે પાછલા દસ જ દિવસમાં 450થી વધારે સરકારી શાળાઓને ખંભાતી તાળા લગાવી દીધા છે. ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદીએ રાજ્યભરમાં 260 સરકારી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. જોકે, અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે.

આ શાળાઓમાંથી બિકાનેરમાં ભાજપ ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘર પાસે સ્થિત એક કન્યા શાળાને પણ બંધ કરી દેવામાં આવી છે. આ શાળા એક જ પરિસરમાં બે શાળાનું સંચાલન કરી રહી હતી, જેને બંધ કરીને કુમાર શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી.

બંધ કરવામાં આવેલી 260 શાળામાંથી 14 શાળાની સીનિયર સેકન્ડરી સ્કૂલ પણ છે. આ શાળામાં બાળકોનું નામાંકન પણ એકદમ ઓછું હતું, જેથી આ શાળાઓને બંધ કરી નજીકની બીજી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જેમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બીકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની શાળાનો સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રાઇમરી શિક્ષાના 9 શાળાઓને તેની નજીકની હાયર સેકન્ડરી સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે, કોંગ્રેસ સરકારે સમજ્યા વિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી છે, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી શાળામાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પરિસરમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.

સરકારી શાળાઓેને મર્જ કરવાના મુદ્દે નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યા છે. નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ કહ્યું કે, સરકારની શિક્ષણ નીતિ ગરીબ અને કમજોર વર્ગના બાળકોને શિક્ષાથી વંચિત કરવાની છે. શાળાને બંધ કરવાનો નિર્ણય નિંદનીય છે. સરકાર શાળાને સ્કૂલ બંધ કરવાની જગ્યાએ તેમાં સુધારો અને વિસ્તાર પર ધ્યાન આપે.

આ પણ વાંચો-ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 10 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી