Rajkot: ભાજપે 150 દેવીપૂજક પરિવારોને અંધારામાં રાખ્યા, રોષે ભરાયેલા લોકો ધરણા કરવાની તૈયારીમાં

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં શાળાની બાજુમાં વસતા 150 ગરીબ દેવીપૂજક પરિવારોને 35 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આ પરિવારોને વીજ જોડાણ આપવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે પરિવારો વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરવાની તૈયારીમાં છે.

150 ગરીબ દેવીપુજક સમાજ વીજળી નહીં

ગુજરાત સરકાર દાવો કરે છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના અમલમાં છે. સરકારની નીતિ અનુસાર, જ્યાં દસ કે તેથી વધુ પરિવારોની વસાહત હોય ત્યાં વીજળીનું જોડાણ આપવું ફરજિયાત છે. જોકે, રેવાણીયા ગામના 150 પરિવારોની વસાહત હોવા છતાં, આ યોજનાનો અમલ થયો નથી.

ગુજરાતના 30 લાખ લોકો વીજળી વિનાના

2023ના આંકડા મુજબ, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 3,50,45,998 પરિવારો અને કુલ 16,80,000ની વસ્તી હતી. નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, દેશભરમાં 30.4 કરોડ લોકો ઊર્જાથી વંચિત છે, જેમાંથી ગુજરાતના 1% હિસ્સા તરીકે 30 લાખ લોકો (અંદાજે 5 લાખ કુટુંબો) વીજળી વિના જીવન જીવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાકેન્દ્ર સરકારે 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.

વિધાનસભામાં કરાયો હતો દાવો

ગુજરાત વિધાનસભામાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લામાં 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીઓમાં 5,767 વીજ જોડાણો આપવામાં આવ્યા. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 1,117 જોડાણો આપવામાં આવ્યા. પરંતુ રેવાણીયા ગામના દેવીપૂજક સમાજના પરિવારો આવી સુવિધાથી વંચિત રહ્યા છે.

સ્થાનિકોનો આક્રોશ

વીજળીના અભાવે રેવાણીયા ગામના બાળકોના શિક્ષણ, રોજિંદા જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના આ પરિવારોનો આક્ષેપ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. આ મુદ્દે વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરીને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.

તાત્કાલિક વીજજોડાણ આપવાની માંગ 

સ્થાનિક લોકોની માંગ છે કે PGVCL તાત્કાલિક રેવાણીયા ગામની વસાહતમાં વીજળીના જોડાણો આપે. ગુજરાત સરકારે પોતાની નીતિનું પાલન કરીને દસથી વધુ પરિવારોની વસાહતોમાં વીજળી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના અમલમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની જરૂર છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ધરણા અને આંદોલન વધુ તીવ્ર બની શકે છે.

આ પણ વાંચો:

Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી

UP: મહિલા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ, કમ્પાઉન્ડર રુમમાં ઈજેક્શન મારવા લઈ ગયો, પછી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો!

Dog Residence Certificate: ‘નામ ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી’, બિહારમાં શ્વાનને મળ્યું રહેણાક પ્રમાણપત્ર

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 5 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 6 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 7 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 10 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 13 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 11 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી