Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

  • Gujarat
  • April 16, 2025
  • 0 Comments

Rajkot Accident: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક સીટી બસે 6 લોકોને કચડી નાખ્યા છે. જેમાંથી 4 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2થી વધુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિંગ્નલ ખુલતાં જ ઓવરસ્પીડે બસ હંકારવામાં આવી હતી. જેથી આ અકસ્માત થયો છે.

આજે સવારે( 16 એપ્રિલ)ના રોજ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે કેટલાંક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં 6 લોકોને અડફેટે આવી ગયા હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે બેથી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ઘટના બાદ મૃતકોના પરિવજનો અને અન્ય રાહદારીમાં રોષ ફાટી નીકળ્યો  છે. ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો છે. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી  છે અને મામલો થાળે પાડ્યો છે.

સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં  બસ ચલાવી અકસ્માત સર્જ્યો

આ ઘટનાના સીસીટીમાં પણ કેદ થઈ છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે ડ્રાઇવરે પીઘેલી હાલતમાં હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસની નીચે કચડાયા હતા, લોકોને કચડતાં બસ આગળ નીકળી ગઇ હતી. જેમાં 4ના મોત અને 2થી વધુ લોકોને સારવાર હેઠળ છે. આ ઘટનામાં બસચાલક  શિશુપાલસિંહ રાણાને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ સહિત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસકર્મીઓ પહોંચ્યા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્ત માટે સરકાર સહાય જાહેર કરી શકે છે. જો કે સવાલ એ છે દર વખતે આ રીતે અકસ્માત થતાં હોય છે અને સરકાર માત્ર સહાય જાહેર કરી સંતોષ માને છે. બેફામ બનતાં વાહનચલાકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરાવી શકતી નથી. જેથી આવીને આવી ઘટનાઓમાં સતત વધારો થયો છે.

મૃતકના નામ

  • રાજુભાઈ ગીડા
  • સંગીતાબેન નેપાળી
  • કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ
  • ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટ

ઈજાગ્રસ્તોની યાદી

  • સુરજ ધર્મેશ રાવલ
  • વિશાલ રાજેશ મકવાણા
  • વિરાજબા મહાવીરસિંહ ખાચરશિશુપાલસિંહ રાણા

આ પણ વાંચો:

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ