
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો છે. હોસ્પિટલ માં દર્દીઓ ઉંદરોના ત્રાસથી હેરાન થઈ રહ્યા છે.
અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માકડીયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કોનટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવા માટે વડી કચેરી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. સિવિલ અધિક્ષક પણ સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે.
હોસ્પિટલ સતાધીશોની ચાર પગના આતંકથી સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે.
જુઓ સુપ્રિટેન્ડેન્ટએ શુ્ં કહ્યું?
આ પણ વાંચોઃ Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!
આ પણ વાંચોઃ 40 કલાક! ન વોશરૂમ જવા દીધા ન ભરપેટ ભોજન મળ્યું- હવે અમેરિકા સહિત 20 દેશોમાં પ્રતિબંધ