
RCB vs PBKS: IPL 2025 ની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ હતી. આ ઐતિહાસિક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) આમને-સામને હતા ત્યારે RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલી વાર IPL ટ્રોફી જીતી હતી. આ જીત સાથે RCB એ 17 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો અને આખરે તેની પહેલી IPL ટ્રોફી જીતી હતી. IPL ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રૂપમાં એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. ત્યારે આ ફાઈનલ મેચમાં RCB ની જીતની શક્યતા અમે પહેલા જ વ્યક્ત કરી હતી. અમે કેટલાક સંયોગોને જોતા કહ્યું હતુ કે ફાઇનલમાં RCB ની જીતવાની શક્યતા સૌથી વધુ વધુ છે અને તે સાચું પણ પડ્યું.
શું સંયોગો હતા અને કેવી રીતે RCB ની જીતવાની શક્યતા વધારે હતી ?
PL 2025 એ ટુર્નામેન્ટની 18મી સીઝન હતી, જે કોહલીના જર્સી નંબર 18 સાથે મેળ ખાય છે. આ એક પ્રતીકાત્મક સંયોગ હતો, જેને RCB ની જીત સાથે જોડવામાં આવી રહ્યો હતો.
મેચની તારીખનો સંયોગ
IPL 2025 ની ફાઇનલ 3 જૂન 2025 (3-6-2025) ના રોજ રમાઈ હતી. આ તારીખના અંકોનો સરવાળો (3+6+2+0+2+5) 18 થાય છે, જે ફરીથી કોહલીના જર્સી નંબર 18 સાથે મળે છે.
જર્સી નંબર 18 ને પ્રમોટ કરી
મહત્વનું છે કે, છેલ્લા કેટલા દિવસોથી સ્ટાર પ્લસ પર IPL ની જાહેરાત આપવામાં આવી રહી છે. જેમાં તેઓ વિરાટ કોહલીની જર્સી નંબર 18 ને પ્રમોટ કરી રહ્યા છે. જેમકે આ એડમા જોવા મળી રહ્યું છે કે, વિરાટ કોહલી જે હોટલમાં બેઠા છે તેનું ટેબલ નંબર પર 18 છે. તેઓ જે કોફી મંગાવે છે તેમાં પણ 18 લખેલું છે આમ આખી જાહેરાતમાં 18 નંબરને બતાવવામાં આવી રહ્યું છે. જેથી સવાલ થઈ રહ્યો હતો કે, શું પહેલાથી જ RCBની જીત નિશ્વીત કરી દેવામાં આવી છે?
વિરાટ કોહલી, જે RCB ના આઇકોનિક ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન છે, તેમણે આ સીઝનમાં શાનદાર બેટિંગ કરી. તેમનો જર્સી નંબર 18 ચાહકો માટે એક પ્રેરણાદાયી પ્રતીક બન્યો, જે ટીમની 17 વર્ષની લાંબી રાહ બાદ પ્રથમ IPL ટ્રોફી જીતવાની ઉજવણી સાથે જોડાયેલો હતો.
આમ 18 નંબર સાથેના એક સાથે અનેક સંયોગો ભેગા થયા હતા જેને જોતા અમે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, ફાઈનલમાં RCB ની જીતની શક્યતા સૌથી વધુ છે. અને તે સાચું પડ્યું..
મેચમાં ફિક્સિંગની ચર્ચા
જોકે, ચર્ચા તો એવી પણ હતી કે, આટલા બધા સંયોગ એકસાથે કેમ છે ? ખરેખરમાં આ સંયોગ છે કે, પછી સેટિંગ છે ? ક્યાંક મેચમાં ફિક્સિંગની પણ ચર્ચા ચાલી રહી હતી. જો કે, આ પહેલી વાર નથી જ્યારે મેચમાં ફિક્સિંગના આરોપો લાગ્યા હોય અગાઉ પણ ઘણી વાર મેચમાં ફિક્સિંગના આરોપો લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદીએ નવેમ્બર 2024માં એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે આઈપીએલમાં ફિક્સિંગ મોટા પાયે થાય છે, અને ઘણી ફ્રેન્ચાઈઝીના માલિકો તેમાં સામેલ રહ્યા છે. તેમણે દાઉદ ઈબ્રાહિમ દ્વારા ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જો કે, હવે ફિક્સિંગની વાત સાચી હોય કે, ખોટી પરંતુ હાલ જે સંયોગો ભેગા થયા છે તેને જોતા સવાલ ચોક્કસથી થાય છે કે, ખરેખર આટલા બધા સંયોગ જ હતા?
અહેવાલ : સરિતા ડાભી
આ પણ વાંચો:
RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?
Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?
ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’
Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ