Sabarkantha: સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચિત્રો દ્વારા શિવજીના વિવિધ રૂપોનું દર્શન, જાણો ખાસિયત

Sabarkantha:  ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર, જે સાત ઋષિઓની તપોસાધનાથી પવિત્ર થયેલી ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં હાલ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આ પવિત્ર સ્થળ, જ્યાં ડેભોલ અને સાબરમતી નદીનો સમન્વય સંગમ થાય છે, ત્યાં 3600 વર્ષથી સ્વયંભૂ ગંગાધારાઓ ભોળાનાથનો અભિષેક કરી રહી છે. આ પવિત્ર યાત્રાધામમાં શિવજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.

હસમુખ પટેલની અનોખી ભક્તિ

આ ખાસ અવસરે, શિવભક્ત હસમુખ પટેલે પોતાના હાથે દોરેલાં ચિત્રોનું એક અનોખું પ્રદર્શન આજથી બે દિવસ માટે ગોઠવ્યું છે. આ પ્રદર્શનમાં તમામ ચિત્રો માત્ર લાલ, કાળા અને સફેદ રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં છે. આ ચિત્રો 12 જ્યોતિર્લિંગોના દર્શનનું પ્રતિનિધિત્વ કરે છે, જે હસમુખ પટેલે સોમનાથ મહાદેવ ખાતે સંકલ્પ લઈને શરૂ કરેલી યાત્રાનો ભાગ છે. આ ચિત્રો દ્વારા શિવજીના વિવિધ રૂપોનું દર્શન થાય છે, જે ભક્તોને ધન્યતાનો અનુભવ કરાવે છે.

ચિત્રોની સાથે શિવજીના રૂપો અને તેમના મહત્ત્વને સમજાવતા હસમુખ પટેલ

આ ચિત્રો પહેલાં 12 જ્યોતિર્લિંગોના દર્શન માટે મુકવામાં આવ્યાં હતાં અને હવે ગુજરાતનાં સ્વયંભૂ અને પ્રખ્યાત શિવ મંદિરોમાં પ્રદર્શન માટે લાવવામાં આવ્યાં છે. જૂનાગઢથી શરૂઆત કરીને આજે ઈડરના સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ ચિત્રો ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે. હસમુખ પટેલ દ્વારા આ ચિત્રોની સાથે શિવજીના રૂપો અને તેમના મહત્ત્વ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવે છે, જે ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે.

શિવની ભક્તિ અને કલાનો અનોખો સમન્વય

આ પ્રદર્શન ભક્તો માટે શિવજીના દર્શનનો એક આધ્યાત્મિક અનુભવ છે, જેમાં શિવની ભક્તિ અને કલાનો અનોખો સમન્વય જોવા મળે છે.

અહેવાલ: ઉમંગ રાવલ

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 3 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 4 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’