
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિસ્તારમાં વીજ લાઈન મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે અને કેટલાક સવાલો ચર્ચાના ઘેરામાં રહયા છે ત્યારે સ્થાનિક આગેવાન પ્રમોદ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ ઉઠાવેલા સવાલોમાં કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, અહીં વગદાર લોકોની બોલબાલા છે.
હળવદ વટામણ 765kv વીજ લાઈનમાં કંઈક આવું જ બન્યું હોવાની શંકા છે
વઢવાણ ગામના સર્વે નંબર 2602 ખાતા નંબર 2777 ક્ષેત્રફળ 23067 ચોરસ મીટર માલિક : પ્રકાશ ભાઈ પરસોત્તમભાઈ પટેલ
વીજ લાઈન માટેનું ગેજેટ નોટિફિકેશન 31/01/2025 ના રોજ જાહેર થયું
ઉપરોક્ત જમીન બિન ખેતી કરવા ઓનલાઈન અરજી તારીખ : 04/03/2025
ઉપરોક્ત જમીન બિન ખેતી થયા તારીખ 03/04/2025
સવાલ ગેજેટ નોટિફિકેશન બાદની તારીખમાં બિન ખેતી થઈ જ ન શકે તો કેવીરીતે થયું ?
કંપની પાસેથી ખેડૂતોએ લીધેલા ડોક્યુમેન્ટમાં ઉપરોક્ત જમીનની વિગત 7 નંબર પર દર્શાવેલી છે
કંપની ડોક્યુમેન્ટ મુજબ prakash varmora MLA (found NAland as per dissussion) આવું લખાણ છે
કંપની ડોક્યુમેન્ટ મુજબ આ સવાલ વાળી જમીનમાં tentative area 810 મીટર લખેલ છે
કંપની, કલેક્ટર નોટિસ આપે તેમાંથી ધારાસભ્યશ્રીનું નામ બાકાત કેવી રીતે થયું ??
ગામ જબલપુર, ટંકારા ના ખેડૂતનું ગેઝેટ નોટિફિકેશન પહેલાનું બિન ખેતી હોવા છતાં કલેક્ટરશ્રીની નોટિસમાં નામ શા માટે આવ્યું ??
જો બિન ખેતી માટે કલેક્ટર નોટિસ ન કાઢતા હોય તો જબલપુરના ભાણજીભાઈનું નામ પણ ન હોવું જોઈએ શું ધારાસભ્યશ્રીઓ માટે કાયદાઓ અલગ છે ??આ મામલે વિસ્તુત છણાવટ કરવામાં આવી છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







