Thailand: થાઇલેન્ડમાં દોડતી ટ્રેન ઉપર અચાનક ક્રેઇન પડતા થયો ભયાનક અકસ્માત; 25ના મોત, 80 ઘાયલ

  • World
  • January 14, 2026
  • 0 Comments

●રેલવેના હાઇ સ્પીડ પ્રોજેક્ટ માટે કામ કરી રહેલી વિશાળ ક્રેઇન બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રેન ઉપર પડતા સર્જાયો ગંભીર અકસ્માત

Thailand: થાઇલેન્ડમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે, રાજધાની બેંગકોકથી થાઇલેન્ડના ઉત્તરપશ્ચિમમાં ટ્રેન ઉબોન રત્ચાથાની પ્રાંત તરફ જઈ રહી હતી તે દરમિયાન ત્યાં ચાલી રહેલા હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી એક ક્રેન અચાનક ટ્રેન ઉપર પડી જતા ટ્રેન પાટા પરથી ઉતરી જતા સર્જાયેલી દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે અને લગભગ 80 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના આજે બુધવારે સવારે થાઇલેન્ડના શીખિઓ જિલ્લામાં બની હતી. આ વિસ્તાર રાજધાની બેંગકોકથી લગભગ 230 કિલોમીટર દૂર છે.

એક સ્થાનિક પોલીસ અધિકારીએ AFP ને જણાવ્યું કે અકસ્માતમાં 25 લોકો માર્યા ગયા અને 80 થી વધુ ઘાયલ થયા છે.મીડિયા અહેવાલો અનુસાર, નિર્માણાધીન હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કાર્યરત ક્રેન અચાનક નીચેથી પસાર થતી ટ્રેન પર પડતા ટ્રેન પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી જેમાં આગ ભભૂકી ઉઠી હતી અકસ્માત બાદ તરતજ બચાવ કાર્ય શરૂ થયું હતું અને ટ્રેનના પતરા કાપી મુસાફરોને બહાર કઢાયા હતા.

ટ્રેનમાં ૧૯૫ મુસાફરો સવાર હતા. જોકે, આ આંકડો ટ્રેનમાં સવાર મુસાફરોની સંખ્યા પર આધારિત છે અને ટ્રેનમાં સવાર મુસાફરોની વાસ્તવિક સંખ્યા અલગ અલગ હોઈ શકે છે થાઈ સરકારે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે આ અકસ્માત આજે બુધવારે સવારે ૯ વાગ્યાની આસપાસ સર્જાયો હતો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો
  • March 19, 2026

Nuclear Missile: યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે બુધવારે સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં ચીન અને પાકિસ્તાનને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધતા પરમાણુ ખતરા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે…

Continue reading
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
  • March 18, 2026

■ અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!” Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 7 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન