Amreli: મોદીએ કહ્યું તેનાથી ઉલટું થયું! ગુજરાતમાં સૌથી વધુ આંતરિક ખેંચતાણ અમરેલીમાં ભાજપમાં

Amreli: ગુજરાતમાં સૌથી વધુ ટાંટીયા ખેંચ અમરેલીમાં ભાજપમાં ચાલી રહ્યું છે. આજથી 15 વર્ષ પહેલા 6 જુન 2010 મા ભાજપ દ્વારા જએવું કહેવામાં આવ્યું કે, સહકારી પ્રવૃતિમાં રાજકીય હસ્તક્ષેપનો કયારેય ઇરાદો આ સરકારે રાખ્યો નથી બલ્કે વિકાસની સ્પર્ધાનું તંદુરસ્ત વાતાવરણ સર્જયું છેઅમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક શતાબ્દી મહોત્સવ મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું હતું. ત્યારે વિકાસમાં ટોટીયા ખેંચનું રાજકારણ નહીં સંવાદિત વિકાસના ટેકાનું વાતાવરણ સર્જીએ એવું જણાવવામાં આવ્યું હતું. આમ નરેન્દ્ર મોદીએ તે વખતે ટાંટિયાખેચ બંધ કરી દેવા કહ્યું હતું અને થયું શું? આજે તેનાથી બધુ જુદુ જ ચાલી રહ્યું છે.

પાટીલ સામે સંઘાણી અને જયેશ રાદડિયા

અમરેલીમાં પાટિલે જાહેરમાંતકહ્યુ હતુ કે અહીં તો ઈલુ ઈલુ ચાલે છે. ત્યારે તેની સામે દિલીપ સંઘાણીએ અવાજ ઉઠાવ્યો હતો. આમ જાહેરમાં દિલીપ સંઘાણીએ પાટીલને ચેલેન્જ આપી હતી. સી આર પાટીલના પ્રમુખ બન્યા પછી સૌથી વધુ ટાંટિયા ખેચ થઈ છે. તેમજ જયેશ રાદડિયાએ પણ પાટીલને પડકાર્યા હતા. રાજકોટમાં ભાજપના કાર્યલય પર તાળા મારી દેવામા આવ્યા હતા.

ભાજપના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ

અમરેલી નગરપાલિકામાં ભાજપમાં બળવો થયો હતો. ભાજપના પ્રમુખ સામે ભાજપના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અને ઝડપથી સામાન્ય સભા બોલાવવાની માગ કરી હતી. ત્યારે પાટીલ પક્ષમાં ધ્યાન ન આપતા હોવાથી સ્થિતિ ખરાબ થઈ હોવાનું કહેવાતું હતું.

નારણ કાછડિયાની ભાજપ સામે નારાજગી

2024 ની ચુંટણીમાં પણ પક્ષની સામે અવાજ ઉઠાવવામા આવ્યો હતો પરંતુ અમરેલીમાં ગેરશિસ્ત આખા ગુજરાતમાં ક્યાંય નથી થઈ. ભાજપે ટિકિટ કાપતા નારણ કાછડિયા નારાજ થયા હતા. તેઓ ભાજપનો આંતરિક કકળાટ સપાટી પર લાવ્યા હતા. ત્યારે કાછડિયાના આક્ષેપ પર ભરત સૂતરિયાએ વળતો જવાબ આપ્યો હતો. તેમયે વિરોધ એટલો વધ્યો હતો કે, એક બીજા જુથો સામ સામે આવી ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી પોતે અમરેલી દોડી ગયા હતા અને તેમણે બધાને સાથે રહેવાની વાત કરી હતી.

પક્ષપલટા સામે ભરત કાનાબારનો વિરોધ

કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓને ભાજપમાં લેવામા આવ્યા હતા ત્યારે ભાજપ નેતા અને નરેન્દ્ર મોદીની સાથે નિકટતા ધરાવતા ભરત કાનાબારે પક્ષાતરનો વિરોધ કર્યો હતો.

કૌશિક વેકરિયા સામે લેટર કાંડ

છેલ્લે સૌથી મોટી ઘટના તે બની હતી કે, ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આક્ષેપ કરતો લેટર વાયરલ થયો હતો. તેમાં ભાજપના નેતા જ સામેલ હતા. આ ઘટનામાં પાટલ ગોટી નામની યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતુ આ મામલે ભાજપના નેતા ભરત કાનાબારે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન

Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

  • Related Posts

    Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
    • June 16, 2026

    Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

    Continue reading
    Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
    • June 16, 2026

    Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    • June 16, 2026
    • 4 views
    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    • June 16, 2026
    • 4 views
    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    • June 16, 2026
    • 10 views
    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

    • June 16, 2026
    • 12 views
    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

    Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

    • June 16, 2026
    • 12 views
    Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

    BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

    • June 16, 2026
    • 8 views
    BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?