UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ચંદૌલીના બાથવાર ગામમાં પારિવારિક ઝઘડાને કારણે ભગવાન દાસ યાદવે(ઉ.વ.33) તેની પત્ની ક્રિમકલા(ઉ.વ. 30)ની પાવડા વડે હત્યા કરી નાખી. આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. આરોપી જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેને અગાઉ પણ અપરાધિક કૃત્યો આચાર્યા છે.

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

આ ઘટના ચંદૌલી જિલ્લાના બાથવાર ગામમાં બની હતી. જયાં એક પતિએ તેની પત્ની ક્રિમકલા પર પાવડા વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. અને તે પતિ ભગવાન દાસ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જાણકારી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી દીધી, પોલીસ હવે આરોપીઓની શોધ કરી રહી છે.

પિતાના કૃત્યથી બાળકો અનાથ

પિતાએ ગુસ્સે ભરાઈને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, કારણ કે પરિવારમાં એક દિકરોને દિકરી છે. જે હવે તેમના પિતાના કૃત્યને કારણે અનાથ છે. આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે  વિવાદોનો ઉકેલ લાવવો જરુરી છે.

મહિલાઓની સુરક્ષા પર સવાલ

આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલ પ્રશ્ન ઉઠાવ્યો છે. મહિલા સુરક્ષાની વાતો થાય છે પણ અહીં તો ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે હોઈ શકે. આ ઘટના માત્ર એક પરિવારને જ નહી આખા સમાજને લાગુ પડે છે, કારણ કે દરેક પરિવારમાં ઝઘડા થતાં હોય છે. પરંતુ તેનો યોગ્ય સમયે ઉકેલ આવવો ખૂબ જ જરુરી હોય છે. જેથી ભવિષ્યમાં આવી ઘાતક ઘટના ન બને. પારિવારિક વિવાદોના ઉકેલ માટે સમાજે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

જમીન સંપતિના વિવાદમાં હત્યા

ક્રિમકલાની માતાએ કહ્યું – ભગવાન દાસ તેમની જમીન હડપ કરવા માંગતો હતો. આ માટે તેઓ તેમની પુત્રીને સતત હેરાન કરતો.   તેમને કોઈ પુત્ર નથી. તેમના પતિનું પણ અવસાન થયું છે, જેના કારણે ભગવાન દાસ તેમની જમીન બળજબરીથી પોતાના નામે કરાવવા માંગતો હતો. જ્યારે તેમની પુત્રીએ આનો વિરોધ કર્યો ત્યારે મારી પુત્રીની હત્યા કરી નાખી.

પોલીસે શું કહ્યું?

પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.ભગવાન દાસ યાદવને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. તેને પકડવા માટે સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો:

Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?

Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા

Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત્: 50થી વધુ માજી સૈનિકોની અટકાયત

Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો

Non-Vegetarian Milk: ટ્રમ્પ ભારતમાં માંસાહારી દૂધ કેમ વેચવા માગે છે?

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!