UP: ફિરોઝાબાદમાં હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીના 13 ઘા મારી પુત્રીને પતાવી દીધી

  • India
  • August 20, 2025
  • 0 Comments

UP: ફિરોઝાબાદમાં એક હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીથી 13 ઘા મારીને ક્રૂરતાથી પુત્રીની હત્યા કરી દીધી, લોહીથી લથપથ મૃતદેહ જોઈ સ્ત્રીઓએ ચીસો પાડી,ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.

પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે થઈ કરી હત્યા

ફિરોઝાબાદના નાગલા જાટ ગામમાં, સોમવારે રાત્રે એક પિતાએ તેની 12મા ધોરણમાં ભણતી પુત્રીની કુહાડીથી 13 વાર ઘા મારીને ક્રૂરતાથી હત્યા કરી દીધી. તે તેની પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે હતો. મંગળવારે સવારે ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી, પિતાએ ઈજ્જત માટે પુત્રીની હત્યા કરી દીધી,રાત્રે કર્યો પુત્રીનો પીછો પુત્રીને પડોશી ગામના એક યુવક સાથે અફેર હતું. હકીકત જાણતા પિતા ઇન્દ્રપાલે જ કરી હત્યા. કુહાડીથી ગળા પર ઘા કરીને તેની હત્યા કરી દીધી. ઘટના પછી, તેણે કુહાડી બાજુના ખેતરમાં ફેંકી દીધી અને ઘરે આવ્યો.

મૃતદેહ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી

જ્યારે ગામની સ્ત્રીઓ ખેતરમાં શૌચ કરવા ગઈ, ત્યારે નેહાનો લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડ્યો હતો. લાશ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી. ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું.

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

આ ઘટનાની માહિતી મળતાં જ પિતા અન્ય ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા, અને ઘટના વિશે અજાણ હોવાનું પણ જણાવ્યું, પોલીસને ગેરમાર્ગે દોરવા તેમણે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી. કહ્યું કે પુત્રી ખેતરમાં શૌચ કરવા ગઈ હતી. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ તેની હત્યા કરી નાંખી છે.

પિતાએ સત્ય કબૂલ કર્યું

આરોપી સાથે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે તેણે સત્ય કબૂલ્યું. રાત્રે, આરોપી પિતાના ઇશારા પર પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી જપ્ત કરી. ત્યારબાદ, પોલીસે તેની ધરપકડ કરી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા. પોલીસે મૃતદેહને કબજે લીધો ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અને  હત્યાની તપાસ શરૂ કરી છે.

આવી ઘટનાઓમાં સતત વધારો

આજકાલ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રેમસંબંધમાં હત્યાઓ હવે નવી વાત રહી નથી ઈજજતના નામ પર પરિવાર જ દુશ્મન બની જતો હોય છે. કયાંક પ્રેમીની હત્યા તો કયાંક પ્રેમીકાની સતત આવી ઘટનાઓ સામે આવ્યાં કરે છે. પરિવારને આવી વાતોની જાણ થયા બાદ કોઈને જાણ ન થાય એવી રીતે અપરાધ કરવામાં આવતાં હોય છે.

Related Posts

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
  • June 22, 2026

India Pedestrian Deaths Report: ભારતમાં રસ્તાઓ પર મોતનો આંકડો માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન ભારતના રસ્તાઓ પર દર વર્ષે સરેરાશ ૩૦,૫૦૦…

Continue reading
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ
  • June 22, 2026

Ladakh Bandh Protest: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફરી એકવાર અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. ૨૨ મેના રોજ નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના આશ્વાસનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 3 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 5 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 10 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 8 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 16 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો