
Vadodara Bridge Collapsed: વડોદરામાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત બાદ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે અને તેને શોધવા માટે મહિસાગર નદીમાં શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, વહીવટીતંત્રે પુલ પર વાહનોની અવરજવર રોકવા માટે સિમેન્ટની દિવાલ બનાવી હતી. આશ્ચર્યજનક વાત એ હતી કે દિવાલ બનાવતી વખતે બચાવ વાહનોને આવવા-જવા માટે કોઈ રસ્તો છોડવામાં આવ્યો ન હતો.
દિવાલ બનાવવા મામલે વહીવટીતંત્રએ શું કહ્યું ?
વહીવટીતંત્રનું કહેવું છે કે અજાણ્યા વાહનોની અવરજવર અટકાવવા માટે મુજપુર-ગંભીરા પુલ પર કામચલાઉ સિમેન્ટની દિવાલ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યની બહારથી આવતા વાહનો ઘણીવાર GPS પર આધાર રાખે છે અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓથી અજાણ હોય છે, જેના કારણે અકસ્માતો થઈ શકે છે. આવા અકસ્માતો ટાળવા માટે આ દિવાલ બનાવવામાં આવી છે. વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે દિવાલની અંદર ફસાયેલા તમામ વાહનો બચાવ કાર્યમાં રોકાયેલા છે અને કામગીરી પૂર્ણ થતાં જ તેમને બહાર કાઢવામાં આવશે.
મુજપૂર – ગંભીરા પૂલ ઉપર કોઇ અજાણ્યા વાહનો આવી ના ચઢે તેની સલામતી માટે દિવાલ બનાવાઇ..
અન્ય રાજ્યના વાહનો જીપીએસથી ચાલતા હોવાથી ભૂલમાં પણ આ પૂલ ના ઉપયોગ કરે તે માટે કામચલાઉ દિવાલ બનાવાઇ..#bridgecollapse #vadodara #VadodaraNews #padra #info_vadodara_gog #newsupdate @CollectorVad pic.twitter.com/vgx7xClO1e
— Info Vadodara GoG (@Info_Vadodara) July 14, 2025
કલેક્ટર અનિલ ધામેલીયાનું નિવદેન
આ મામલે વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયાનું નિવદેન પણ આવ્યુ છે. તેમણે આ દિવાલ હંગામી દિવાલ હોવાનું જણાવ્યું હતું. લોકોની અવરજવર અને તેમની સેફ્ટી ન જોખમાઇ તે માટે આ કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, અંદર વાહનો ફસાઇ ગયા તેવુ નથી કામગીરી માટે જરૂરીયાત હશે તો તોડીશું.
પોલીસ ચેકપોસ્ટ પણ હાજર
જોકે, વહીવટીતંત્ર સ્પષ્ટ કરી શક્યું નથી કે આ વાહનોને કઈ ટેકનિક કે પદ્ધતિથી બહાર કાઢવામાં આવશે. મુજપુર પોલીસ ચેકપોસ્ટ પણ તે જ જગ્યાએ છે જ્યાં દિવાલ બનાવવામાં આવી છે, જેના કારણે પ્રશ્ન ઉભો થયો છે કે દિવાલને બદલે યોગ્ય બેરિકેડિંગ તો ન થયું હોય? સ્થાનિક લોકોનું કહેવું છે કે વહીવટીતંત્ર પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બહાના બનાવવામાં વ્યસ્ત છે.
વડોદરા જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પૂલોની બે દિવસમાં થઇ ચકાસણી..
જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના 94 અને પંચાયત હસ્તકના 21 નાનામોટા બ્રિજનું વિવિધ ટીમો દ્વારા નિરીક્ષણ..#BridgeInspection #VadodaraInfrastructure #RoadSafety #BridgeSafetyCheck #info_vadodara_gog pic.twitter.com/iuYafyGn7a
— Info Vadodara GoG (@Info_Vadodara) July 14, 2025
સરકારની કાર્યવાહી
લોકો એવું પણ માને છે કે જો આવી સાવધાની અગાઉથી રાખવામાં આવી હોત તો કદાચ આ દુ:ખદ અકસ્માત ટાળી શકાયો હોત. આ ઘટનામાં સરકારે ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત, સરકારે 212 કરોડ રૂપિયાના ખર્ચે નવો સમાંતર પુલ બનાવવા માટે મંજૂરી આપી છે, જે આગામી 18 મહિનામાં તૈયાર થઈ જશે.









