
Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 9 દિવસથી ભયંકર રીતે યુધ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે ઈરાનના મુખ્ય લશ્કરી અને પરમાણુ સ્થળો પર કર્યા છે. આ યુદ્ધ દાયકાઓથી ચાલતી દુશ્મનીનું પરિણામ છે, જેમાં ઈરાને ઈઝરાયલની વૈધતા પર સવાલ ઉઠાવ્યા અને તેનો નાશ કરવાની ધમકી આપી, જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અસ્તિત્વ માટે ખતરો માને છે. બીજી બાજુ આ યુધ્ધમાં અમેરિકા પણ કૂદવા માગે છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા 2 અઠવાડિયા સુધી વિચાર કરવાનું જણાવ્યું છે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં. મોદી સરકાર આ મામલે તટસ્થ છે.
મોદી સરકાર ટ્રમ્પ વાહિયાત નિવેદનો આપે છે છતાં જવાબ આપતી નથી. મોદી સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખવાને બદલે મોદીના ધનવાન મિત્રોના હિતોને જોઈને અન્ય દેશો સાથેના સંબંધો બનાવવામાં અથવા તોડી નાખવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અપમાન કરી રહ્યા છે, છતાં મોદી સરકાર ટ્રમ્પના ખોળામાં બેસી રહી છે. અપમાનિત થવા છતાં, મોદી ટ્રમ્પ સાથે મિત્રતા જાળવી રહ્યા છે. ભારતના દુશ્મન દેશને ટ્રમ્પ દાવત પર બોલાવે છે પણ મોદી સરકાર કંઈ જ પ્રતિક્રિયા આપતી નથી. તમને શું લાગે છે, મહાન માણસ મોદી માટે ટ્રમ્પ સાથેની મિત્રતા કેટલી ફાયદાકારક છે અને ભારતના લોકો માટે તે કેટલી હાનિકારક છે?, ત્યારે વીડિયોમાં સમજો ઈરાન-ઈઝરાયલ સાથે યુધ્ધમાં ભારતે કેવું સ્ટેન્ડ રાખવું જોઈએ.
આ પણ વાંચો:
Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ
Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?
ગુજરાતી ફિલ્મ નિર્માતા Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?