Delhi: એક બાજુ પૂરની સ્થિતિ, બીજી બાજુ પાણીની તંગી ! રેખા ગુપ્તાના શાસનમાં દિલ્હીવાસીઓની કેવી છે હાલત?

Delhi:દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી, ભાજપ અને તેના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અજાયબીઓ કરી રહ્યા છે. રેખાજીને જોઈને એવું લાગે છે કે જો કોઈ મુખ્યમંત્રી હોય તો તે રેખાજી જેવી હોવી જોઈએ નહીં તો નહીં! આજે આપણે દિલ્હીના નાગરિકોની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીશું. આપ પાર્ટીના નેતા અંગેશ સિંહે કે જેમની આપ પાર્ટીને હટાવવામાં ભુમિકા હોવાનું કહેવાય છે. તેઓએ રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ હાલત કેવી છે તેના વિશે જણાવ્યું હતું.

દિલ્હીમાં પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે, ઘણા વિસ્તારોમાં નળમાંથી પાણી નથી આવતું અથવા ગંદુ પાણી આવે છે, જેના કારણે લોકો ટેન્કરો પર નિર્ભર છે તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાજેતરમાં પાણીની સમસ્યા અને વોટરલોગિંગને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેની ટીકા થઈ હતી.

રેખા ગુપ્તાએ વોટરલોગિંગ વિશે બોલતાં કહ્યું હતું કે, “જ્યારે વરસાદ પડે છે, ત્યારે મોટા પ્રમાણમાં પાણી આવે છે, અને નાળાઓ ઘણીવાર આ અચાનક પ્રવાહને સંભાળી શકતા નથી. વરસાદ એ કુદરતી ઘટના છે, એવું નથી કે નીચે તવો રાખ્યો હોય કે પાણી બાષ્પીભવન થઈ જાય.” આ નિવેદનમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો વરસાદનું પાણી 30 મિનિટથી એક કલાકમાં ઉતરી જાય, તો તે સામાન્ય ગણાય, પરંતુ જો ન ઉતરે, તો તે વિસ્તારમાં સમસ્યા સૂચવે છે.

આમ આદમી પાર્ટી (AAP) એ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે રેખા ગુપ્તા તેમની સરકારની નિષ્ફળતા અને ખોટા વચનોને છુપાવવા માટે આવા “નબળા બહાના” રજૂ કરી રહ્યા છે. રેખા ગુપ્તાની સરકાર વોટરલોગિંગની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ રહી છે, અને આ નિવેદન તેમની અક્ષમતાને દર્શાવે છે.

દિલ્હીમાં વોટરલોગિંગની સમસ્યા હળવા વરસાદને કારણે મજનું કા ટિલ્લા, ITO, અને મિન્ટો બ્રિજ જેવા વિસ્તારોમાં જળભરાવ થાય છે, જે દર્શાવે છે કે ડ્રેનેજ સિસ્ટમ અપૂરતી છે.

ગંદા પાણીની સમસ્યા

પીરગઢી જેવા વિસ્તારોમાં નળમાંથી નીલું પાણી આવવાની ફરિયાદો ઉઠી છે, જે પીવા, નાહવા કે રસોઈ માટે અયોગ્ય છે.

યમુનામાં પ્રદૂષણ

યમુના નદીમાં અમોનિયાનું સ્તર 5 ppm સુધી પહોંચી ગયું છે, જેના કારણે વઝીરાબાદ, સોનિયા વિહાર, અને ભગીરથી જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉત્પાદન 15-50% ઘટી ગયું છે. આની અસર મજનું કા ટિલ્લા, કાશ્મીરી ગેટ, ડિફેન્સ કોલોની, અને ગ્રેટર કૈલાશ જેવા વિસ્તારોમાં જોવા મળે છે.યમુનામાં હરિયાણા અને ઉત્તર પ્રદેશથી આવતા ઔદ્યોગિક અને ઘરેલું ગંદા પાણીને કારણે અમોનિયા અને ઝેરી ફીણનું સ્તર વધ્યું છે

દિલ્હી જળ બોર્ડ (DJB)ની પાઈપલાઈનો જૂની છે, જેમાં 40% પાણી લીકેજને કારણે વેડફાય છે.ગેરકાયદેસર વસાહતોમાં પાઈપડ પાણીની સુવિધા નથી, જેના કારણે ટેન્કરો પર નિર્ભરતા વધે છે

ત્યારે AAP અને BJP વચ્ચે પાણીની સમસ્યા પર આરોપ-પ્રત્યારોપ ચાલે છે, જેના કારણે ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધુ ગરમાય છે. તેવામાં દિલ્હીના નાગરિકોની હાલત કેવી છે તે જાણવા માટે જુઓ આ વીડિયો…

આ પણ વાંચો:

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન

Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 3 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 4 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 6 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 9 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 10 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 10 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી