Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ

  • Others
  • February 25, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી

Health Treatment: તમે કોઈ એલોપેથિક ડોક્ટર પાસે જશો તો મોટાભાગે તે આયુર્વેદિક દવાને લેવાની ના પાડશે. આયુર્વેદમાં નિષ્ણાત વૈદ્ય એલોપથી કે હોમીઓપેથીની દવા ચાલતી હશે તો બંધ કરાવશે. હોમિયોપેથીક ડોક્ટરમાં પણ ઘણા એવા છે જે બીજી પથીની દવા સાથે લેવાની ના પાડે છે. ઘણા વૈદ્યો તો એમ જ કહે કે બીજી કોઈ દવા ચાલતી હોય તે બંધ કરો તો જ હું દવા કરૂં.

આ બધા જ જુદી જુદી પથીના ચિકિત્સકોનો એક જ તર્ક હોય છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ છે તેથી ભેગી દવા ન કરાય. તેનાથી અમારી દવાની અસર ન થાય.

પણ દર્દી હોશિયાર હોય તો તે કહેતો જ નથી કે બીજી કોઈ પથીની સારવાર મારી ચાલે છે. અને તે સાજો પણ થઈ જાય છે. તેથી વિપરીત જો ચિકિત્સકની સલાહ માની પોતાની ચાલું દવા બંધ કરી દે તો ઘણી વખત ઉપાધિમાં મુકાઈ જાય છે.

હવે કેટલીક એલોપેથિક દવાઓ એકાએક છોડી શકાય તેવી હોતી જ નથી. તેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાઈકીઆટ્રીક દવા વગેરે છોડવી હોય તો નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ તબક્કાવાર બંધ કરવી પડે અને તબક્કાવાર બીજી પથી પર સ્વિચઓવર કરવું પડે. પણ ચિકિત્સકો માને તો ને? ભયંકર પથી-જડતા હોય છે.

એક આંખના ડોક્ટરે હોસ્પિટલમાં પાટિયું લગાવ્યું છે કે આંખમાં કાજળ ન નાખવું કે પાણી ન છાંટવું. તેનાથી નુકસાન થાય છે. પણ આયુર્વેદ અને આપણી પરંપરામાં આ બંનેના લાભ આપણે જોયા છે. હવે એ ડોક્ટર સાથે શું દલીલ કરવી?
કોઈની સાઈકીઆટ્રીક દવા ચાલું હોય અને પેટની તકલીફો માટે વૈદ્ય પાસે જાય તો વૈદ્ય કહેશે કે સાઈકીઆટ્રીક દવા બંધ કરી દો. એ તો ઉંઘની જ દવા આપે છે. પણ તેને ખબર નથી હોતી કે એકાએક એ દવા બંધ કરવાના શું પરિણામ આવે છે.

પેટની તકલીફોમાં આયુર્વેદ ઉત્તમ પરિણામ આપે છે. માનસિક રોગોમાં કાઉન્સેલિગ અને હોમિયોપથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવું મારૂં નિરીક્ષણ છે.

તો દર્દી પેટની તકલીફો માટે આયુર્વેદ અજમાવે અને માનસિક તકલિફ માટે હોમિયોપેથીક દવા કરે તો વાંધો શું? વૈદ્ય કે હોમિયોપેથને કહ્યા વગર એ કરો તો બંને દુર થઈ જાય. પણ જો તે કહી દો તો ચિકિત્સક હાથ જ ન મુકવા દે.

એ મને તો બહુ મોટી ભ્રમણા લાગે છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ હોવાથી તેની સાથે દવા ન થઈ શકે. મેં તો જોયું છેઃ કે કેટલાક રોગો માટે એલોપેથિક દવા અનિવાર્ય અનિષ્ટ બની જવાથી લેતા હોય તેની સાથે આયુર્વેદિક કે બીજી કોઈ દવા કરે તો તેનું પણ પરિણામ મળે છે. સમયાંતરે એલોપથિક દવા છુટી પણ જાય છે એ ઘણાની બાબતમાં જોયું છે. દર્દીઓનો ઈલાજ થઈ શકે પણ ચિકિત્સકનો ઈલાજ કોણ કરે?

 

 

આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં

આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

આ પણ વાંચોઃ દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?

 

Related Posts

Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
  • May 9, 2025

Share Market: આજે એટલે કે શુક્રવાર, 9 મેએ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ (1.14%) ઘટીને 79,400 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 2 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 5 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 8 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 16 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 15 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી