‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

  • World
  • March 15, 2025
  • 0 Comments
  • ‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

પાકિસ્તાનની મુસાફરો ભરેલી ટ્રેન અપહરણ કરનારા બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે, તેમણે બધા 214 સૈન્ય બંધકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, કેમ કે બલૂચ રાજકિય કેદીઓને છોડવાનો સોદા માટે તેમને આપેલા 48 કલાકનો સમય ખત્મ થઈ ગયો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના દાવાને નકારી કાઢ્યો હતો કે બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. BLA એ કહ્યું કે પાકિસ્તાની સરકારની “જીદ” એ તેમને આમ કરવા મજબૂર કર્યા છે. બુધવારે બળવાખોરોએ સરકારને બલૂચ રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવા માટે 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો.

જણાવી દઈએ કે, બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરી રહેલા અલગતાવાદી જૂથ, બલુચ લિબરેશન આર્મીએ મંગળવારે રેલ્વે ટ્રેક ઉડાવીને પેશાવર જતી જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું હતું. જે સમયે ટ્રેનનું હાઇજેક થયું હતું, તે સમયે ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હાજર હતા. ટ્રેન પર કબજો કર્યા પછી BLA બળવાખોરોએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવા દીધા હતા.

BLAએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાને તેની પરંપરાગત જીદ અને લશ્કરી ઘમંડ દર્શાવીને માત્ર ગંભીર વાટાઘાટાને નજરઅંદાજ કરી દીધો અને જમીની વાસ્તવિકતાઓ પ્રત્યે પણ આંખ આડા કાન કર્યા છે. આ જીદના કારણે તમામ 214 બંધકોને મારવામાં આવ્યા.”

ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ હતા. બંધકોને છોડાવવા માટે કાર્યવાહી શરૂ કરનાર પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે 30 કલાક ચાલેલા ઓપરેશન બાદ બુધવારે આતંકીઓનો સફાયો કરીને ઓપરેશન ખત્મ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 33 બળવાખોરો માર્યા ગયા હતા. સેનાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં 23 સૈનિકો, ત્રણ રેલ્વે કર્મચારીઓ અને પાંચ મુસાફરો માર્યા ગયા હતા..

બલૂચ બળવાખોરોના દાવાઓ

જોકે, બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢતા કહ્યું કે ભીષણ લડાઈ ચાલુ છે અને સુરક્ષા દળોને “ભારે નુકસાન” થઈ રહ્યું છે. તેના તાજેતરના નિવેદનમાં BLA એ દાવો કર્યો છે કે દારા-એ-બોલાન નામના ઓપરેશનમાં તેના 12 કર્મચારીઓ માર્યા ગયા હતા.

BLAના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ફિદાયિનોએ (આત્મઘાતી હુમલાખોર- જે બોમ્બ પહેરીને પોતાની જાતને જ ઉડાવી દે છે) કેટલાક બંધક લશ્કરી કર્મચારીઓને ખાસ બોગીઓમાં બંધ કરી દીધા અને તેમની સ્થિતિ સંભાળી લીધી હતી. જ્યારે BLAના અન્ય સૈનિકો બાકીના બંધકોને સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા. જ્યારે પાકિસ્તાની કમાન્ડો પહોંચ્યા ત્યારે ફિદાયિનોએ તેમને ઘેરી લીધા અને તેમના પર જોરદાર હુમલો કર્યો. કમાન્ડોને ભારે નુકસાન થયું, જ્યારે બંધકો પણ માર્યા ગયા.”

  • Related Posts

    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો
    • June 29, 2026

    Adani US Case Withdrawal: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ (DOJ) દ્વારા દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ પાછો ખેંચવાની હિલચાલ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ મામલો…

    Continue reading
    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ
    • June 29, 2026

    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશના ગેબન્ધા જિલ્લામાં ભગવાન રામની એક 81 ફૂટ ઊંચી પ્રતિમા નિર્માણના મુદ્દાએ પડોશી દેશના સામાજિક તાણાવાણાને હચમચાવી દીધા છે. પલાશબાડીના મધ્યરામપુર ગામમાં મંદિર કોમ્પ્લેક્સની અંદર આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’

    • June 30, 2026
    • 2 views
    Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’

    Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

    • June 30, 2026
    • 4 views
    Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

    Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા

    • June 30, 2026
    • 4 views
    Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા

    PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

    • June 29, 2026
    • 4 views
    PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

    Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

    • June 29, 2026
    • 5 views
    Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

    • June 29, 2026
    • 8 views
    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો