
Gondal dispute: રાજકોટનું ગોંડલ સતત વિવાદોમાં ઘેરાયું છે. રાજકુમાર જાટની હત્યા હોય કે અમિત ખૂંટનો આપઘાત હોય. તમામ મામલે ગોંડલના નેતાઓ, પોલીસ શંકાના ઘેરામાં છે. ત્યારે અંતે ભાજપા નેતા અલ્પેશ કથીરિયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા છે. ગઈકાલે તેમણે ગૃહમંત્રીની રુબરુ મુલાકાત કરી હોવાનું કહ્યું છે. પોલીસ ખોટા કેસ નોંધતી હોવાની ફરિયાદ કરી છે.
અલ્પેશ કથીરિયાએ એક મિડિયા સાથે વાત કરતાં ગોંડલની પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું હતુ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગોંડલના પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાઈ રહ્યા છે, જે વ્યક્તિઓની ધરપકડ થાય તેનો અમને કોઈ વાંધો નથી. પણ મારી સાથે ગોંડલની દર્શનયાત્રામાં હતા. તેમના નામ ખોલ્યા છે, તેમના ધંધામાં હેરાન કરી નિવેદનો માટે પોલીસ બોલાવે છે. કોઈ નિવેદનોનું તથ્ય નથી. પુરાવા નથી છતાં પોલીસ બોલાવે છે, મારે છે, શું આ પોલીસ છે ગુંડા.
કથીરિયા વધુમાં પોલીસ પર કટાક્ષ કરતાં કહ્યું હતુ કે પોલીસનો ધર્મ છે રક્ષણ કરવાનો, નહીં કે કોઈ એક વ્યક્તિના કહેવાથી કાર્યક્રમ કરવાના. અમારા મિત્ર પિયુષ રાદડિયા સાથે થઈ રહ્યું છે, તે બાબતે હું ગૃહમંત્રીને પ્રત્યક્ષ મળ્યો છું. ગોંડલમાં એસપી, પીઆઈ, LCB, લોકલ પોલીસનો શું રોલ છે તેની માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. ટૂંક સમયમાં આનું પરિણામ પણ જોવા મળશે.
અલ્પેશ કથીરિયાએ કહ્યું ગૃહમંત્રીએ તપાસ કરાવા કહ્યું છે. ખાખી વર્દીને લાચ્છન લાગે તેવી ભૂમિકા ભજવી છે તેના વિરુધ્ધ પણ કર્યાવાહી થશે.
ગણેશ ગોંડલે ફડકાર ફેકતાં કથીરિયા ગોંડલ પહોંચ્યાહતા
ગત 27 એપ્રિલે પાટીદાર આગેવાન અને ભાજપા નેતા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. જયરાજસિંહના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો હતો. અલ્પેશ કથીરિયાની કારના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને પડકાર ફેકતાં કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. જેના સંદર્ભમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા. ત્યારથી અલ્પેશ કથીરિયા અને ગોંડલના ગણેશ જાડેજા વચ્ચે ભારે વિવાદ ચાલે છે.
ગોંડલમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:
Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’
ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump
હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!
‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક
Ahmedabad: કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ
IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey
Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?