UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

  • India
  • June 4, 2025
  • 0 Comments

UP: ઉત્તરપ્રદેશના કાનપુર પોલીસ કમિશનરે ગુનેગારમાંથી ભાજપા નેતા બનેલા સંદીપ ઠાકુરની હિસ્ટ્રી શીટ રદ કરવાના મામલામાં મોટી તપાસના આદેશ આપ્યા છે. આ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તે તપાસ કરશે કે સંદીપની હિસ્ટ્રી શીટ કેવી રીતે બંધ કરવામાં આવી. તપાસ રિપોર્ટના આધારે હિસ્ટ્રી શીટ ફરીથી ખોલાશે.   30 મેના રોજ, સંદીપ ઠાકુર ઉપરાંત અન્ય બે ગંભીર ગુનાના આરોપીઓ PM ને મળ્યા હતા. જેથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષ પૂછે છે કે મોદી ગુનેગારને કેમ મળી રહ્યા છે?, શું મોદી ગુનેગારોને બચાવવનો પ્રયાસ કરી રહ્યા છે?  આરોપીઓને મોદીને કોણે મળવા દીધા?, વિપક્ષ આ મામલાને મોટો મુદ્દો બનાવી રહ્યું છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંદીપનો ફોટો વાયરલ થતાં જ રાજકીય યુદ્ધ

કાનપુર, ધ ગુજરાત રિપોર્ટ
આરોપી સંદિપ ઠાકુર અને PM મોદી

બારા વિશ્વા બેંકમાં રહેતા સંદીપ ઠાકુર 30 મેના રોજ વડાપ્રધાનની જાહેર સભા બાદ તેમને વિદાય આપવા માટે ભાજપા નેતાઓ સાથે ચકેરી એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન સંદીપ ઠાકુરે પણ વડાપ્રધાન સાથે ફોટો પડાવ્યો હતો. સંદીપે આ તસવીર પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી. સંદીપે PM સાથેનો ફોટો પોસ્ટ કરતાની સાથે જ  સમાજવાદી મીડિયા સેલે પોતાના પૂર્વ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને લખ્યું કે મોદી જણાવે કે તેઓ ગુનેગારો સાથે કેમ છે…? આ સાથે ભાજપા પર નિશાન સાધતા બીજી વાતો પણ લખવામાં આવી હતી. આ પછી કોંગ્રેસે પણ સંદીપની તસવીરને લઈને ભાજપા પર નિશાન સાધ્યું હતું. એ જ રીતે, હિસ્ટ્રી શીટર સાથે PM ની સેંકડો તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને મોદીની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા.

આ પછી, જ્યારે કાનપુર પોલીસે સંદીપ ઠાકુર વિશે તપાસ હાથ ધરી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો છે. જાણવા મળ્યું છે કે સંદીપની હિસ્ટ્રી શીટ ધોરણોને અવગણીને બંધ કરવામાં આવી હતી. એડિશનલ સીપી આશુતોષ કુમારે જણાવ્યું હતું કે સંદીપ ઠાકુરની હિસ્ટ્રી શીટની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટનો નાશ કરાયો

કાનપુરના તત્કાલીન SSP અનંત દેવ તિવારીના આદેશ પર સંદીપ ઠાકુરની હિસ્ટ્રી શીટનો નાશ કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બર 2019 ના રોજ, તિવારીએ સૌપ્રથમ સંદીપની હિસ્ટ્રી શીટનું મોનિટરિંગ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. બે મહિના પછી, 28 ડિસેમ્બર 2019 ના રોજ, તેમણે હિસ્ટ્રી શીટનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો. આમાં, સંદીપના હૃદય રોગ અને 12 વર્ષ સુધી કોઈ ગુનો ન કરવાનો આધાર બનાવવામાં આવ્યો હતો. જ્યારે 2007 પછી સંદીપ સામે સતત અનેક ગુનાહિત કેસ નોંધાયા હતા. હૃદય રોગનો કોઈ નક્કર દસ્તાવેજ પણ દર્શાવવામાં આવ્યો નથી.

હિસ્ટ્રીશીટર અરવિંદ રાજ ત્રિપાઠી ઉર્ફે છોટુ ત્રિપાઠી અને PM મોદી
હિસ્ટ્રી શીટર અરવિંદ રાજ ત્રિપાઠી ઉર્ફે છોટુ ત્રિપાઠી અને PM મોદી

 ત્રણ મુદ્દાઓ પર તપાસ  

સંદીપની હિસ્ટ્રી શીટને બાળીને નાશ કરાઈ હતી. જોકે હિસ્ટ્રી શીટરના મૃત્યુ પછી, તેને બાળી નાખવામાં આવે છે અથવા નાશ કરાઈ છે. જ્યારે હજુ તો આ સંદીપ ઠાકુર જીવે છે.

જ્યારે 2019 માં સંદીપની હિસ્ટ્રી શીટ રદ કરવામાં આવી હતી, ત્યારે ઓર્ડરમાં લખવામાં આવ્યું હતું કે સંદીપે 2007 થી કોઈ ગુનો કર્યો નથી. જ્યારે 2007 થી તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે હાલમાં સંદીપ વિરુદ્ધ 16 કેસ નોંધાયેલા છે. આમાંથી 4 કેસ ટ્રાયલ પર છે. 5 કેસમાં તેને નિર્દોષ જાહેર કરાયો. આ સાથે, ચાર ગંભીર કેસોની ફાઇલો કોર્ટમાંથી ગુમ છે. પોલીસે અન્ય કેસોમાં અંતિમ રિપોર્ટ દાખલ કર્યો છે.

ત્રણ ગુનાહિત લોકો  PM ને મળ્યા

હિસ્ટ્રીશીટર સંદીપની PM સાથેની મુલાકાતનો ફોટો વાયરલ થયા બાદ, પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે માત્ર સંદીપ ઠાકુર જ નહીં, પરંતુ કાકદેવ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટર અરવિંદ રાજ ત્રિપાઠી ઉર્ફે છોટુ અને નઝીરાબાદ પોલીસ સ્ટેશનના ગુનેગાર વીરેન્દ્ર દુબે પણ PM ને મળ્યા હતા. બંને સામે હત્યા સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે. આ બંનેના ફોટા પણ સામે આવ્યા છે અને પોલીસે તેમની પણ તપાસ શરૂ કરી છે.

તપાસ વગર જ આરોપીઓને PM ને મળવા દીધા

प्रधानमंत्री से मुलाकात करता हुआ क्रिमिनल वीरेंद्र दुबे।
ગુનેગાર વીરેન્દ્ર દુબે અને PM મોદી

આરોપીઓ સુરક્ષા ભંગ કરીને PM ને કેવી રીતે મળ્યા?

 એડિશનલ સીપી આશુતોષ કુમારને પૂછવામાં આવ્યું કે ત્રણ હિસ્ટ્રી શીટરોએ સુરક્ષા ભંગ કરીને PM ને કેવી રીતે મળ્યા, ત્યારે એડિશનલ સીપીએ કહ્યું કે વહીવટીતંત્રે ભાજપા દ્વારા PM ને મળવા માટે સુપરત કરાયેલા વરિષ્ઠ નેતાઓની યાદીની એલઆઈયુ ચકાસણીનો આદેશ આપ્યો ન હતો. આ કારણે, દરેકને કોઈપણ ગુનાહિત તપાસ વિના PM ને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જેથી હવે આ મામલે ભારે ઉહાપોહ મચ્યો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે.

 

આ પણ વાંચો:

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે | Gandhinagar

વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 14 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 19 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 32 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી