MP: ભોપાલમાં 90 ડિગ્રીના વળાંકવાળો બ્રિજ બની ગયો, કોઈનું ધ્યાન ન ગયુ!, હવે તોડવો પડશે!

  • India
  • June 13, 2025
  • 0 Comments

MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક નવો રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે . આ પુલ ઐશબાગમાં બનાવવામાં આવ્યો છે. પુલ બનાવવાનો હેતુ ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવાનો હતો. પરંતુ હવે આ પુલની ડિઝાઇન સમસ્યારૂપ બની ગઈ છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ 8 વર્ષમાં પૂર્ણ થયો છે. આ પુલ પર 90 ડિગ્રીનો ખતરનાક વળાંક છે. લોકોનું કહેવું છે કે આ વળાંક અકસ્માતનું કારણ બની શકે છે. જેથી હવે આને તોડવો પડી શકે છે. જેથી પ્રજાના નાણાંનું પાણી થવાનું છે.  8 વર્ષ સુધી નિર્માણકાર્ય ચાલુ રહ્યુ તેમ છતાં કોઈ અધિકારીએ કે નેતાએ ધ્યાન ન આપ્યુ. જે એન્જિનિયર કોન્ટ્રાક્ટ લીધો હશે તેની પણ મતી મારી ગઈ હશે!

18 કરોડ ખર્યા

ભોપાલનો ઐશબાગ રેલવે બ્રિજ તેની ડિઝાઇનને કારણે વિવાદમાં છે. આ પુલ 90 ડિગ્રીનો તીવ્ર વળાંક ધરાવે છે. લોકો આ ડિઝાઇન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પુલ અકસ્માતોનું કારણ બની શકે છે . આ પુલ બનાવવામાં 18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તેમાં 8 વર્ષનો લાંબો સમય લાગ્યો છે.

લોકો રોષે ભરાયા

સોશિયલ મીડિયા પર લોકો આ પુલની ડિઝાઇનની ટીકા કરી રહ્યા છે. X પર એક યુઝરે લખ્યું કે આ ભોપાલનો ઐશબાગ રેલ ઓવર બ્રિજ છે, જે PWD દ્વારા 10 વર્ષમાં બનાવવામાં આવ્યો છે, જાણે કે તે એક એન્જિનિયરિંગ ચમત્કાર હોય.

બીજા યુઝરે લખ્યું કે જ્યારે સત્તાની લગામ ભ્રષ્ટ સરકારોના હાથમાં હોય છે, ત્યારે યોજનાઓ અસમર્થ અને પુસ્તકિયા આયોજકો દ્વારા બનાવવામાં આવે છે અને એન્જિનિયરો ડિગ્રીથી નહીં પણ દાનથી બનાવવામાં આવે છે, ત્યારે અકસ્માતો થાય છે, પુલથી નહીં.

90 ડિગ્રી વળાંકને કારણે અકસ્માતો થશે

લોકો કહે છે કે આ પુલ ફક્ત ટ્રાફિક જામનું નવું કેન્દ્ર બનશે જ નહીં, પરંતુ આ 90 ડિગ્રી વળાંક એક મોટા અકસ્માતને આમંત્રણ આપશે. જે લોકો દરરોજ આ પુલ પરથી પસાર થશે તેમને ફક્ત શુભકામનાઓ આપી શકાય છે, કારણ કે જેમણે આ યોજના બનાવી છે તેમણે ફક્ત ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, જવાબદારી નહીં.

પુલની લંબાઈ 648 મીટર

આ પુલની લંબાઈ 648 મીટર છે. આ પુલ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં બનેલો છે જ્યાં ખૂબ ટ્રાફિક રહે છે. ઓછી જગ્યાને કારણે આ પુલને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પરંતુ, આ પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદમાં આવી ગયો છે.

PWD મંત્રી રાકેશ સિંહે શું કહ્યું?

પુલની ડિઝાઇન પર પ્રશ્નો ઉભા થયા બાદ પીડબ્લ્યુડી( Public works departmen) મંત્રી રાકેશ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે પુલ બન્યા પછી, અચાનક કેટલાક નિષ્ણાતો આવીને આવી વાતો કરે છે, જ્યારે કોઈપણ પુલ બનાવતી વખતે, ઘણા ટેકનિકલ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ આરોપ છે, તો તેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
  • August 8, 2026

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

Continue reading
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
  • August 8, 2026

Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા