
અહેવાલ: ઉમંગ રાવલ
Sabarkantha Accident News: સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ(Prantij) તાલુકામાં આવેલા કાટવાડ ગામ પાસે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે-48 પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત((Accident) સર્જાયો, જેમાં મુંબઈના બોરીવલીથી ઉદયપુર જઈ રહેલી ખાનગી લગ્ઝરી બસ (BR-28-P-3636) ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરોનાં મોત નીપજ્યાં, જ્યારે 8થી વધુ મુસાફરો ઘાયલ થયા. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
આ અકસ્માત સોમવારે(23 જાન્યુ. 2025) વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાઠવાડા ઓવરબ્રિજ નજીક બન્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે બસની ડાબી બાજુ ચિરાઈ ગઈ અને ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાઈને ઉભી રહી. આ ઘટનાથી બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
અડધો કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા
અકસ્માત એટલો ગંભીર હતો કે એક મહિલા અને એક પુરુષ મુસાફર બસની સીટ અને પતરાઓ વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો. જોકે, પુરુષ મુસાફરનો મૃતદેહ સીટ અને પતરાઓ વચ્ચે ખરાબ રીતે ફસાયેલો હોવાથી, અડધો કલાકની જહેમત અને પતરાં કાપવાની કામગીરી બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગંભીર ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં એક પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
આઠથી વધુ ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જોકે કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી
પ્રાંતિજ પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું કારણ જાણવા માટે બસ અને ટ્રકના ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બસ ચાલકની બેદરકારી કે ઝડપી ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે. આ ઉપરાંત, ટ્રકની સ્થિતિ અને હાઈવેની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી
ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમો, ચાર 108 એમ્બ્યુલન્સ અને હાઈવે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી હાથ ધરવામાં આવ્યું, જેના કારણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળી શકી. હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. પોલીસે લોકોને હાઈવે પર સાવચેતીથી વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
VADODARA: 3 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકીઃ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ
મોદી G7 સમિટમાં આટલું બધુ કેમ હસી પડ્યા?, રાષ્ટ્રપતિ મેક્રોને પણ ચાલતી પકડી!
UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!
UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!
Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?
Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં