Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભયંકર વિમાન દુર્ઘટનાનો ભોગ બની આ અકસ્માતમાં ઓછામાં ઓછા 274 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બની તેની થોડીક ક્ષણોમાં જ દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો. આ વીડિયો 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. તેનું નામ આર્યન અસારી નામ છે. તેને જણાવ્યું હતુ કે, તેને પહેલીવાર નજીકથી પ્લેન જોયું જેથી તેમના ગામ લોકો અને મિત્રોને બતાવવા માટે તેને વીડિયો બનાવ્યો હતો પરંતુ આ વીડિયોએ તેની જીંદગી બદલી નાખી. વીડિયો બનાવ્યા બાદ હાલમાં આ કિશોરની હાલત કેવી છે તે અંગે જાણવા બીબીસી ન્યુઝએ આ સગીરના પિતાનો ઈન્ટરવ્યું લીધો હતો.

પ્લેન ક્રેશનનો વીડિયો ઉતારનાર આર્યનની જીંદગી બદલાઈ

આર્યનના પિતા મગનભાઈ અસારીએ બીબીસી ન્યુઝને જણાવ્યુ્ં હતુ કે, આ ઘટના પછી તે આઘાતમાં છે. તેની આર્યન પર એટલી ગંભીર અસરથઈ છે કે આર્યને વિમાનો જોવાનો ખૂબ શોખ હતો. તેને વિમાનનાં એન્જિનનો ગર્જના કરતો અવાજ ખૂબ પસંદ હતો. પરંતુ હવે આર્યન તેના વિચારથી પણ કંપી જાય છે. વધુમાં તેઓ જણાવે છે કે, આયર્ન એટલો બધો ડરી ગયો છેકે, તેણે પોતાનો ફોન વાપરવાનું પણ બંધ કરી દીધું છે.

વધુમાં આર્યનના પિતા જણાવે છે કે તેમને ઈન્ટરવ્યું માટે પત્રકારો આર્યન સાથે વાત કરવા માગે છે જેથી પત્રકારો દિવસ-રાત અમારા ઘરની આસપાસ આંટા મારે છે.

પિતાએ આર્યનની હાલત વિશે શું કહ્યું ?

આર્યનના પિતા મગનભાઈ અસારી નિવૃત્ત લશ્કરી સૈનિક છે તેઓ હાલમાં મેટ્રો સેવામાં કામ કરે છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઍરપૉર્ટની નજીકના વિસ્તારમાં રહે છે. તાજેતરમાં જ તેઓ ત્રણ માળની એક ઇમારતના ધાબા પર આવેલા એક નાના રૂમમાં રહેવા ગયા હતા. તેમનાં પત્ની અને બે બાળકો આર્યન અને તેમનાં મોટી બહેન ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની સરહદ નજીક આવેલા તેમના પૈતૃક ગામમાં રહે છે. પિતાના જણાવ્યા મુજબ આર્યન વિમાનનો શોખીન હતો જ્યારે આર્યનની પિતા સાથે વાતથતી ત્યારે તે તેના પિતાને પૂછતો હતો કે, શું હું આપણા ધાબા પરથી વિમાનો જોઈ શકું ત્યારે તેના પિતા કહેતા કે હા તું એને આકાશમાં લહેરાતા જોઈ શકીશ.” મગનભાઈની પુત્રી પોલીસ અધિકારી માટેની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી ત્યારે આર્યનને અમદાવાદ આવવાની તક મળી, આ ઘટના બની ત્યારે આર્યન પહેલી વખત અમદાવાદમાં આવ્યો હતો.

આર્યન હજુ પણ આઘાતમાં

વધુમાં પિતા જણાવે છે કે, આર્યને તેના મિત્રોને બતાવવા માટે ઘરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેણે ઍર ઇન્ડિયાનું વિમાન જોયું અને તેનો વીડિયો બનાવ્યો તે દરમિયાન તેને વિમાનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો ખ્યાલ આવ્યો. પરંતુ તે સમજી ન શક્યો કે શું થઈ રહ્યું છે. જ્યારે તેને ને ઇમારતોમાંથી આગ ફેલાતી દેખાઈ ત્યારે તેને આખરે ખ્યાલ આવ્યો કે કંઈક અજુગતું થયું છે. જે બાદ આર્યને તેના પિતાને વીડિયો મોકલ્યો અને તેમને ફોન કર્યો અને તેને તેના પિતાને કહ્યુ કે, “મેં આ જોયું પપ્પા, મેં આ વિમાનને તૂટી પડતા જોયું,’ એમ કહીને મને પૂછતો રહ્યો કે હવે તેનું શું થશે. મેં તેને કહ્યું કે શાંતિ રાખ અને ચિંતા ન કર. આ વાત કરતા તે ખુબ જ ભયભીત જણાતો હતો”ત્યારે પિતાએ તેને વીડિયો વધુ શૅર ન કરવા કહ્યું હતું. જોકે, ખૂબ ડરી ગયેલા અને આઘાત પામેલા આર્યને આ વીડિયો તેના કેટલાક મિત્રોને મોકલ્યો અને તે થોડા સમયમાં બધે વાયરલ થઈ ગયો. જે બાદ આર્યન અને તેના પરિવારના કપરા દિવસો શરુ થયા. મીડિયા અને પોલીસે આર્યનને હેરાન કર્યો. પોલીસ આર્યનને લઈ ગઈ હતી અને તેને શું જોયું તે વીશે પૂછતાછ કરી હતી. ત્યારે સગીરને બધા હેરાન કરતા હોવાથી પિતાએ તેને ગામમાં પાછો મોકલી દીધો છે. તે શાળાએ જાયછે પરંતુ હજુ પણ તે આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી હજુ પણ તે ખુબ ડરી રહ્યો છે.

રથયાત્રામાં લાખોનો ખર્ચ, અસરગ્રસ્તો માટે કંઈ નહીં?

મહત્વનું છે કે, આર્યન માત્ર 17 વર્ષનો છે, તેને અકસ્માતે આ વીડિયો બનાવ્યો પરંતુ આ તેને જાણે કે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવું વર્તન તેની સાથે કરવામાં આવ્યું. જ્યારે કોઈ સગીર આટલી મોટી ઘટના જુએ ત્યારે તેના મગજ પર કેવી અસર થાય છે તેનો મીડિયા અને પોલીસે વિચાર ન કર્યો. આવી સ્થિતિમાં સરકારની ફરજ છે કે, તેમને આ છોકરાનું કાઉન્સેલિંગ કરવું જોઈએ જેથી તે આઘાતમાંથી બહાર આવી શકે પરંતુ સરકારે આ છોકરા માટે પણ કંઈ કર્યું નથી. તેમજ આ ઘટના બાદ આ વિસ્તારના આસપાસના લોકો પર પણ ગંભીર અસર થઈ છે. પરંતુ સરકારે તેમનું કાઉન્સલિંગ થાય તેવો પ્રયત્ન ન કર્યો. મહત્વનું છે કે, પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધા વગર રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ટ્ર્કને સણગારવા અને ટેબ્લો સહિતની વસ્તુઓ પર લાખોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકાર આટલી મોટી ઘટના બની તેની જેમના પર અસર થઈ છે તેનો વિચાર સુદ્ધા પણ નથી કરતી? જેથી સંવેદનશીલ સરકારના દાવાઓ ફોક સાબિત થાય છે.

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 3 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 6 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 8 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 9 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 7 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા