Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

Kheda: ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 20 જુલાઈ, 2025ના રોજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર દ્વારા લેવામાં આવ્યો છે કેસરીસિંહને પક્ષ વિરોધી પ્રવૃતિ બદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાની જ પાર્ટી સામે બાયો ચઢાવી હતી અને એક પછી એક પોલ ખોલી રહ્યા હતા ત્યારે ભાજપને સત્ય ન જોવાતા કેસરીસિંહને કાઢી મુક્યા છે.

પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, કેસરીસિંહ સોલંકી છેલ્લા ઘણા સમયથી પોતાની જ પાર્ટીની સરકાર અને સંસ્થાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા હતા, જેમાં અમૂલ ડેરીના કથિત ભ્રષ્ટાચાર અને લીંબાસીમાં દારૂના અડ્ડાઓ પણ સામેલ છે. આ પગલાંથી ભાજપમાં નારાજગી વધી, અને પક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.

અમૂલ ડેરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો

છેલ્લા ઘણા સમયથી કેસરીસિંહ સોલંકી અમૂલ ડેરી અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી રહ્યા હતા. તેમણે અમૂલ ડેરીના ચેરમેન અને સંચાલન સામે ગંભીર આરોપો મૂકીને આંદોલનો શરૂ કર્યા હતા. આ આક્ષેપોને કારણે ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી વધી હતી. કેસરીસિંહે પોતાની જ પાર્ટીની સરકાર અને સંસ્થાઓ સામે આકરા પગલાં લઈને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ બાબત ભાજપને મંજૂર ન હતી.

લીંબાસીમાં દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’

તાજેતરમાં, 21 જુલાઈ, 2025ના રોજ, કેસરીસિંહ સોલંકીએ ખેડા જિલ્લાના તારાપુર હાઈવે નજીક આવેલા લીંબાસી ગામમાં દારૂના અડ્ડાઓ પર ‘જનતા રેડ’ કરી. તેમણે આ રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો ઝડપી અને સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો. આ રેડમાં તેમણે લીંબાસી પોલીસ પર બુટલેગરોને છાવરવાનો અને હપ્તાખોરીનો આરોપ લગાવ્યો. તેમણે પોલીસને ઘટનાસ્થળે બોલાવીને મહિલા PSIને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું, પરંતુ પોલીસે કોઈ પગલાં ન લીધા હોવાનો આક્ષેપ પણ કર્યો. આ ઘટનાએ ભાજપની અંદર નવો વિવાદ જન્માવ્યો છે.

તાત્કાલિક સસ્પેન્શનનું કારણ

લીંબાસીની આ રેડ અને સોશિયલ મીડિયા પર પોલીસ તથા સરકાર સામે ઉઠાવેલા સવાલો ભાજપ માટે અસહ્ય બન્યા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબહેન પટેલે કેસરીસિંહની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને સતતના આક્ષેપોને કારણે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. ભાજપના સ્થાનિક નેતાઓએ દાવો કર્યો કે કેસરીસિંહની આવી કામગીરીથી પક્ષની છબીને નુકસાન થઈ રહ્યું હતું. જોકે, જનતામાં ચર્ચા છે કે કેસરીસિંહે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવ્યો, જેની સજા તેમને આપવામાં આવી.

કેસરીસિંહનો રાજકીય પ્રવાસ

કેસરીસિંહ સોલંકીએ 2014માં માતર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા હતા. જોકે, 2022ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી તરફી મતદાનની વાત બહાર આવતાં ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ રદ કરી હતી. આનાથી નારાજ થઈને કેસરીસિંહે ભાજપ છોડીને આમ આદમી પાર્ટી (આપ)માં જોડાવાનો નિર્ણય લીધો, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેઓ ફરીથી ભાજપમાં પાછા ફર્યા. આ પક્ષપલટાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી હતી.

જૂના વિવાદો

2021માં, પંચમહાલના હાલોલમાં જિમિરા રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કેસરીસિંહ સોલંકી સહિત 29 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. હાલોલ કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ ઘટનાએ તેમની રાજકીય કારકિર્દી પર નકારાત્મક અસર કરી હતી.જનતાનો પ્રતિભાવ અને રાજકીય અસરકેસરીસિંહ સોલંકીના સસ્પેન્શનથી ખેડા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. જનતામાં એવી ચર્ચા છે કે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવાની સજા તેમને આપવામાં આવી. ઘણા લોકોનું માનવું છે કે પોલીસે જે કામ કરવું જોઈએ તે કેસરીસિંહે જનતા સાથે મળીને કર્યું, પરંતુ ભાજપે તેમના આ પગલાંને પક્ષ વિરોધી ગણીને સજા આપી. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે.

હવે કેસરીસિંહ શું કરશે?

કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની પોતાની લડત ચાલુ રાખશે. તેમના સસ્પેન્શન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ સ્વતંત્ર રીતે કે અન્ય કોઈ પક્ષ સાથે જોડાઈને પોતાનું આંદોલન આગળ વધારી શકે છે. આ ઘટના ખેડા જિલ્લાના રાજકારણમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. આગામી દિવસોમાં તેમનું રાજકીય પગલું ખેડા અને ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ 

Gujarat Weather Forecast: ચોમાસું ફરી સક્રિય થતા 6 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

Damodar Kund: પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદર કુંડમાં ગંદકીનું સામ્રાજ્ય, નરસિંહ મહેતાનો આત્મા આ હિન્દુવાદીઓને ક્ષમા આપી શકશે?

Bangladesh Airforce Plane Crash: સેનાનું વિમાન ક્રેશ શાળામાં ઘુસી ગયું, અનેકના મોતની આશંકા

MP Devusinh Chauhan બારેજા મેલડી ભૂવાના વખાણ કરવામાં ભૂલ્યા ભાન, હિંદુ સનાતન વેદોની કરી ટીકા

ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો

Related Posts

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?
  • June 20, 2026

Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું…

Continue reading
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
  • June 18, 2026

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 3 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 6 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 8 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા